SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસનોધ (ઉ.૩/૨, ૩,૪) ૩૨૯ (iv) અનિષ્ટચ...મતિ મારતી આનંદવર્ધને વૃત્તિમાં આ ત્રણ પરિકરઃ શ્લોકો પોતે આપેલ સમજતીના સમર્થન માટે ઉદ્ધત ર્યા છે. આ શ્લોકો તેમના સમયે જાણીતા હશે. “શ્રતિષ્ટ’ વગેરે કાવ્યદોષોમાં જેમ અનિષ્ટ શબ્દ (દા.ત. પિલવ-કોમળ. આ શબ્દ વૃષણનો વાચક નથી પણ તેનું સ્મરણ કરાવે છે તેથી “શ્રુતિષ્ટ દોષવાળો છે.) કે પદ, દોષ ઉપજાવે છે તેમ ઇષ્ટ શબ્દ કે પદ, ગુણ ઉપજાવે છે. પદો ધ્વનિના સૂચક છે, છતાં ધ્વનિ જે પદો ઉપર જ આધાર રાખે છે, તેનું ચારુત્વ તે પદો ઉપર જ અવલંબે છે. કાવ્યની સમગ્રતયા સૌંદર્ય પ્રતીતિમાં, બધાં અંગોને સાથે ધ્યાનમાં લેવાં જોઈએ, એ સાચું પણ વ્યવહાર દષ્ટિએ એનાં વિભિન્ન અવયવોની ચાતા તપાસી શકાય. કારિકા-૨ અને વૃત્તિ (i) afપવિપુ. આ એક જ ભેદ માન્યો છે. આમ તો પ્રકૃતિ, પ્રત્યય વગેરે અનેક ભેદ થઈ શકે છે. પણ પદપકાંશની ગણના એકમાં જ કરવાની પરંપરા હોઈ આમ કરેલ છે. ii) “લોચન’ મુજબ “અસંલક્ષ્યમવ્યંગ્યુ, ધ્વનિનો નાનામાં નાનો ભંજક વર્ણ છે. તેથી તેને પહેલો ગણાવ્યો છે. વર્ષો મળીને પદ થાય છે અને પદસમૂહ મળીને વાક્ય થાય છે. કારિકામાં એ જ ક્રમ જાળવ્યો છે. ‘સંઘના પદગત હોય છે અને વાક્યગત પણ હોય છે તેથી તેને વાક્ય પછી ગણાવી છે. સંઘટનામાં ગૂંથાયેલ વાક્યોથી પ્રબંધ બને છે તેથી તેને છેલ્લે ગણાવ્યો. દરેકની સમજૂતી પણ એ ક્રમે જ આપે છે. કારિકા-૩, ૪. આ બન્ને કારિકાઓમાં અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ કરીને વર્ણોની ઘતકતા દર્શાવી છે. ત્રીજી કારિકામાં “વ્યતિરેકથી અને ચોથી કારિકામાં અન્વયથી વર્ણો રસના આવિર્ભાવમાં મદદ કરે છે એમ દર્શાવ્યું છે. કારિકા ત્રણમાં 'સંત' નો અર્થ “રસથી ટ્યુત થાય છે એટલે કે રસના પોષક નથી' એવો છે. એ જ શબ્દનો ચોથી કારિકામાં સિચુત” એટલે રસને સવારે-ઝરાવે તે એટલે કે રસના પોષક છે એમ અર્થ થાય છે. વૃત્તિ: (i) ૩મ્પિની મ. સંદર્ભ એવો છે કે વત્સરાજ ઉદયન પોતાની પત્ની વાસવદત્તા આગમાં બળી મરી એવા સમાચાર સાંભળી વિલાપ કરે છે ત્યારે આ શ્લોક બોલે છે. અહીં ‘મ્પિની” પદથી વાસવદત્તાના ભયના અનુભાવ સૂચવ્યા છે. ‘તે” પદ, તેનાં નેત્રો સ્વસંવેદ્ય, અનિર્વચનીય, વિલાસનું નિવાસસ્થાન વગેરેથી યુક્ત છે. વાસવદત્તાના અનંત ગુણની સ્મૃતિના તે ઘોતક છે. તેથી રસાભિવ્યક્તિનું અસાધારણ નિમિત્ત બને છે. તેનું યાદ આવતું સૌદર્ય શોકના આવેશમાં વિભાવરૂપતાને પામે છે. તે પદ રસનું અભિવ્યંજક બનતું હોવાથી અહીં શોકરૂપ સ્થાયિભાવવાળો કરુણરસ મુખ્યરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. જો કે રસપ્રતીતિ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy