SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ દવન્યાલોક શબ્દના બે અર્થ છે તે બંને અભિધાથી બહાર આવે છે કે ધ્વનિથી તે જાણવાના નિયમો નીચે મુજબ હોય; જ્યાં શ્લેષ હોય ત્યાં એક શબ્દના બે અર્થ શક્ય થાય, તેમાં (૧) એ બેમાંથી ક્યો અર્થ લેવો એનો નિયામક કોઈ શબ્દ ન હોય તો બન્ને અર્થ અભિધાથી જ સીધા આવે છે એમ જાણવું. (૨) પહેલો અર્થ તો બધામાં અભિધાથી જ બહાર આવે, પણ જ્યાં બીજો અર્થ બહાર લાવવાને નિયામક પ્રમાણ હોય ત્યાં પણ બન્ને અભિધાથી બહાર આવે છે એમ સમજવું. (૩) પણ જ્યાં પહેલો અર્થ આપ્યા પછી અભિધાનો વ્યાપાર અટકી જાય એવો નિયામક શબ્દ હોય તો બીજો અર્થ ધ્વનિત થાય છે (વ્યંગ્યાર્થ છે) એમ સમજવું. (૪) એમાં પણ કદાચ એવું બને કે બીજો કોઈ એવો શબ્દ હોય, જે અભિધાનો વ્યાપાર એક અર્થ આપ્યા પછી અટકી જાય છે એમ બતાવનાર શબ્દનો બાધક હોય તો ત્યાં પણ બન્ને અભિધાથી બહાર આવે છે એમ સમજવું. (પૃ. ૨૫૫) ૨૧.૧ (i) યે ધ્વસ્ત મનોમને... ઈ. - આ શ્લોકમાં શ્લિષ્ટ વિશેષણો છે. એક અર્થ વિષ્ણુને લગતો અને બીજો અર્થ શિવને લગતો નીકળે છે. આ બન્ને અર્થ વસ્તુરૂપ છે અને અભિધા નામની શબ્દશક્તિથી પ્રકાશિત થાય છે. તેથી અહીં ‘શ્લેષાલંકાર છે અને ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી. ૨૧.૧ (ii) ભટ્ટ ઉદ્ભર પુરોગામી આચાર્યનું નામ છે. ભામહના અલંકારસંપ્રદાયના સમર્થક આચાર્ય ઉદ્ભટના મંતવ્યને પૂર્વપક્ષ તરીકે મૂકી પછી તેનું ખંડન કરવામાં આવ્યું છે. ૨૧.૧ (iv) તસ્યા વિના દાણ... ઈ - આ શ્લોકમાં આવેલ વિના’િ માંનો ‘મYિ' શબ્દ વિરોધ દર્શાવે છે. તેને લીધે “હરિનો' ના બે અર્થ થાય છે. અહીં ‘વિરોધ અલંકાર અને વિસ્મય ભાવની પ્રતીતિ થાય છે. આ શ્લોકના “ શ્લેષ' અને ‘વિરોધ અલંકારો તથા “શૃંગાર રસનો વિસ્મય' નામનો વ્યભિચારિભાવ-ત્રણેય સાક્ષાતુ, વાટ્યરૂપે, અભિધાશક્તિથી પ્રગટ થયા છે. અહીં શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી. ૨૧.૧ (૫) અત્તમચંકયર્સ...વિષય પર્વ | લોચનકાર કહે છે કે તા. વિના સાળ... ઈ. શ્લોકમાં “ શ્લેષ અલંકાર વિરોધનો પરિપષ કહે છે. આ ઉદાહરણમાં અનુગ્રાહ્ય – અનુગ્રાહક ભાવવાળો ‘સંકર અલંકાર છે. તેથી અહીં ‘અસંલક્ષ્યધ્વનિ થાય છે એમ કહેવું જોઈએ. પ્રસ્તુત વાક્યમાં આનંદવર્ધન કહે છે કે વ્યંજનાનો વિષય સાક્ષાત્ ભાવે વાચ્ય શ્લેષ કે વિરોધ દ્વારા, અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં પ્રગટ થઈ શકે છે. ૨૧.૧ (i) Tધ્યારેક તેનું સુનઃ ... ઈ.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy