SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૨/૫) ૩૪૧ રૂપમાં રહેલાં હોય છે ત્યાં ‘રસધ્વનિ હોય છે. “રસધ્વનિ’માં અલંકાર વગેરેનું સ્વતંત્ર સૌદર્ય આસ્વાદનમાં નિમિત્ત હોતું નથી પણ આસ્વાદનમાં સ્વતંત્રરૂપથી નિમિત્ત ‘રસધ્વનિ’ના સૌંદર્યને વધારનારું હોય છે. કારિકા-૫ અને વૃત્તિ ૫.૧ (i) આનંદવર્ધનનો (સિદ્ધાન્તપક્ષ) પક્ષ એ છે જ્યાં રસાદિની અંગી પણે-મુખ્યરીતે વિવક્ષા હોય ત્યાં રસાદિ ધ્વનિ છે. પણ જ્યાં રસની વિવેક્ષા હોય, પણ તે ગૌણ હોય અને અન્ય કોઈ નિરૂપણ પ્રધાન રીતે-મુખ્યરીતે થયું હોય ત્યાં ‘રસવત્ વગેરે રસાદિ સાથે સંબંધ ધરાવતા અલંકારો છે. આ મતને સૌ પહેલાં રજુ કરનાર આનંદવર્ધન પોતે જ છે. તેમના પુરોગામી આલંકારિકોના મતે રસાદિ જ્યારે મુખ્ય કે ગૌણ રીતે વ્યક્ત થાય ત્યારે એમને અલંકારો ગણવામાં આવતા હતા. તેઓ રસને પણ અલંકાર ગણતા. આનંદવર્ધનના પુરોગામી ભામહ, ઠંડી, ઉભટ આ માનતા, જે સ્વાભાવિક છે, કેમકે તેઓ ધ્વનિને સ્વીકારતા જ નથી, તેમજ રસને પણ કાવ્યનો આત્મા ગણતા નથી. તેથી રસધ્વનિ' ન સ્વીકારે તે દેખીતું છે. (i) “રસવત્ વગેરે અલંકારો- (સવઘત#ચિ) રસવ, પ્રેયસ, ઉર્જસ્વિ અને સમાહિત, રસાદિ સાથે સંબંધ ધરાવતા અલંકારો છે. (૧) જ્યારે રસ કોઈ બીજા રસાદિનું અંગ બને ત્યારે “રસવત્ અલંકાર (૨) ભાવ જ્યારે બીજાનું અંગ બને ત્યારે ‘પ્રેયસ્ અલંકાર (૩) રસાભાસ કે ભાવાભાસ જ્યારે અંગરૂપે આવે ત્યારે ઉર્જસ્વિ' અલંકાર અને (૪) ભાવશાંતિ વગેરે જ્યારે અંગ બને ત્યારે સમાહિત અલંકાર થાય છે. | (ii) રસવત્ અલંકાર વિષયક મતભેદ-કારિકા અને વૃત્તિમાં “તિ મે મતિઃ', ‘મઃ ર્શિતઃ વિષય’ ‘ત મામીનઃ પક્ષ:' - શબ્દોથી આ અલંકારના સ્વરૂપ અંગે મતભેદનું સ્વયં ધ્વનિકારે જ સૂચન કર્યું છે. આચાર્ય વિશ્વેશ્વર સિદ્ધાંતશિરોમણિના શબ્દોમાં (પૃ. ૯૦-૯૧) “આ મતભેદનાં બે રૂપ છે. કેટલાક લોકોનું કહેવું છે કે અલંકાર તો કટક, કુંડલ, જેવા છે. તે સાક્ષાત્ વાચ્ય-વાચકના ઉપકારક અને પરંપરાથી રસના ઉપકારક હોય છે. જેમકે કંટક, કંડલ સાક્ષાત્ શરીરના ઉપકારક અને શરીર દ્વારા આત્માના ઉપકારક હોવાથી અલંકાર કહેવાય છે. પણ ‘રસવત્ અલંકાર, વાચ્ય અને વાચક, અર્થ કે શબ્દનો ઉપકારક નહીં હોઈને સાક્ષાત રસાદિના ઉપકારક હોય છે. તેથી તેમાં અલંકારનું લક્ષણ બંધબેસતું થતું નથી. તેથી ‘રસવત્ (એ) અલંકાર નથી. જ્યાં રસાદિ અન્યનાં અંગ હોય ત્યાં આ લોકો “રસવતુ’ અલંકાર ન માનતાં તેને “ગુણીભૂતવ્યંગ્ય જ કહે છે. ‘રસવત્ અલંકાર બાબત ઉઠાવાયેલી આ મુશ્કેલીને દૂર કરવા માટે અન્ય વિદ્વાનો ચિરંતન વ્યવહારના અનુરોધથી રસના ઉપકારકત્વ માત્રથી ગુણીભૂતરોમાં
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy