SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોંધ (ઉ. ૧/૧) (iv) પ્રવીવમાત્ર- ખાલી પ્રવાદ - ઉપજાવી કાઢેલી વસ્તુ બધા અભાવવાદીઓનો આ સાધારણ ઉપસંહાર છે. કેમકે શોભાહેતુ હોવા છતાં ગુણો અને અલંકારોથી વ્યતિરિક્ત નથી, અને કારણ કે વ્યતિરિત હોય પણ શોભાહેતુ નથી અને કેમકે શોભાહેતુ હોવા છતાં પણ આદરને પાત્ર નથી તેથી.-એવો આશય છે. (૫) મન ત વ મત્ર :- ક્ષિતિ... ઈ. આ શ્લોક અભિનવગુપ્ત મુજબ ગ્રંથકારના સમકાલીન મનોરથ’ નામના કવિનો છે. મનોરથના નામે કોઈ ગ્રંથ મળતો નથી કે તેનો કોઈ નિર્દેશ મળતો નથી. “રાજતરંગિણી'માં કાશ્મીરના રાજા જયાપીડ (૮મી સદી)ના સભાપંડિતોમાં મનોરથ'નો ઉલ્લેખ છે. અને મનોરથના કેટલાક શ્લોક આચાર્ય હેમેન્દ્ર “ઔચિત્ય વિચાર-ચર્ચામાં ઉદ્ધત કર્યા છે. આ ત્રણે સ્થળે ઉલ્લેખાયેલ “મનોરથ' કોઈ એક વ્યક્તિ હશે. (vi) અભાવવાદના આ ત્રણ વિકલ્પ પરસ્પર અસંબદ્ધ નહીં, પણ શૃંખલાના રૂપમાં રજુ કરવામાં આવ્યા છે. ૧.૫ (i) માકુ: I ટૂ ધાતુ કહેવું બીજો ગણ વર્ત. કા. ૩-પુ બહુવચન. ‘ભાતવાદનું અલંકારશાસ્ત્રના ગ્રંથોમાં અવિચ્છિન્નરૂપથી સ્મરણ કરવામાં આવેલ છે તેથી ‘નાદુર નિત્ય પ્રયુક્ત વર્તમાનકાળનું ક્રિયાપદ લેખકે પ્રયોજ્યું છે. (i) મામ્ ! “ભક્તિ' નામની વૃત્તિથી-વ્યાપારથી પ્રાપ્ત થતો અર્થ તે ‘ભાક્ત” છે. લક્ષણા, ગુણવૃત્તિ, અમુખ્યવૃત્તિ શબ્દો ‘ભક્તિના પર્યાય તરીકે પ્રયોજવામાં આવ્યા છે. ભક્તિ શબ્દથી આલંકારિકોની શુદ્ધા અને ગૌણી બન્ને પ્રકારની લક્ષણા, સમજવાની છે. જ્યારે (‘તઘોગ-સંબંધ) સાદશ્ય સંબંધ હોય ત્યારે ગણી અને સાદયેતર સંબંધ હોય ત્યારે શુદ્ધા લક્ષણા કહેવાય છે એમ આલંકારિકો માને છે. મીમાંસકો ‘ગૌણી'ને સ્વતંત્ર, જુદી વૃત્તિ માને છે. ભક્તિમાં લક્ષણા અને ગૌણી બન્નેનો સમાવેશ થાય છે. લોચનકાર અભિનવગુપ્ત ભક્તિ’ શબ્દની ત્રણ રીતે વ્યુત્પત્તિ આપી છે અને લક્ષણાની ત્રણ શરતો-મુખ્યાર્થબાધ, તદ્યોગ, પ્રયોજન-ને અનુકૂળ અર્થ સમજાવ્યો છે. (ક) મુહયાર્થસ્થ મજા મઃિ (ખ) મmતે સેવ્યને પાર્ગે પ્રસિદ્ધતી उत्प्रेक्ष्यते इति भक्तिः। (ગ) મઃિ પ્રતિપાદ્ય સામગ્ર-સૈશ્યાવો શ્રદ્ધાંતિશયઃ | ‘લોચનમાં મીમાંસકોની ગણીને માટે પણ ‘ભક્તિની વ્યુત્પત્તિ આપી છે. (ઘ) સમુલાયવૃત્તેિ शब्दस्यार्थभागस्तैक्ष्ण्यादिः भक्तिः । ભક્તિ વૃત્તિ-વ્યાપાર-ધી પ્રતીત થનારો લાક્ષણિક કે ગૌણ અર્થ “ભાત’ કહેવાય છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy