SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૫૯ સાધનામાં તે જીવ અમૂલ્ય એવા નરદેહને હારી જાય છે. ધની ઉપાદેયતા જીવનમાં કેવી હાવી જોઈ એ તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. દૃષ્ટાંત પેાતનપુર નામે એક નગર છે. તે નગરના રાજાનું નામ સામચંદ્ર છે. તે રાજાને ધારિણી નામે પત્ની છે. એકવાર રાજા, રાણી અને ગવાક્ષમાં બેઠેલાં છે. મહારાણી મહારાજાનાં માથાના વાળ સાફ કરી રહ્યાં છે. તેમાં મહારાણીને એક સફેદ વાળ દેખાય છે, અને મહારાણી મહારાજાને કહે છે કે, ‘રાજન્ ! દૂત દ્વાર ખખડાવી રહ્યો છે’ ત્યાં રાજા ચારે બાજુ નજર ફેરવે છે અને મહારાણીને કહે છે કે, નૂત્ત મને કેમ દેખાતા નથી ?’ રાણી રાજાને કહે છે કે, ‘રાજન ! કોઇ રાજા તરફથી કૃત આજ્યેા નથી. આ તે યમરાજાને કૃત આવ્યા છે. ’ તરત જ રાણી રાજાના હાથમાં સફેદ વાળ આપે છે. યુવાવસ્થાના નાશ કરનાર ત્રીજી વૃદ્ધાવસ્થાનું જાણે પરમ શસ્ર ન હેાય તેવા તે મસ્તકના સફેદ વાળને જોઈને રાજા અત્યંત . દુ:ખી થયા. રાજાના મોં ઉપર ગ્લાનિ છવાઈ ગઈ. રાજાને ચિંતામગ્ન જોઈને રાણી કહે છે કે,‘ વૃદ્ધાવસ્થા આવવાની આગાહી માત્રથી એટલા બધા કેમ ગભરાઇ ગયા છે? આપને જે વૃદ્ધાવસ્થાનાં આવાગમનના મનમાં ખેદ રહેતા હાય તે! હું આખા નગરમાં ઢોલ વગડાવીને જાહેરાત કરીશ કે જેથી કોઈ આપની વૃદ્ધાવસ્થાને પ્રગટ ન કરે? રાણીની આ વાત સાંભળીને રાજાને મનમાં થાય છે કે, રાણી
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy