SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) પ્રવૃતિમાં જીવને રસ છે તો તેમાં મન પરોવાઈ જાય છે તે રસ જે ધર્મ પ્રવૃતિમાં હોય તો મન તેમાં પણ એંટી જાય. વ્યાપારમાં લીન અને ભજનમાં દીન પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજે ફરમાવ્યું છે કે “લીન ભયો વ્યવહારમેં રે યુગતી ન ઉપજે કોય દીનભયે પ્રભુપદ જપે રે મુગતી કહાસે હોય.” વ્યવહારમાં–વ્યાપાર વાણિજ્યમાં જીવ એટલો બધે લીન બની જાય છે કે બીજી કોઈ પ્રવૃતિમાં એ સમયે એનું મન પરેવાતું નથી. ગ્રાહક સાથેને સદો પતાવતા હે અને ભેજનની વેળા થઈ જતા, ઘરવાળા જમવા માટેનું આમંત્રણ આપવા આવ્યા હોય એ જ સમયે ઘરવાળાને પણ શું કહી દો કે હમણાં મને જરાએ ફુરસદ નથી. ઘરનાં બીજા બધાને જમાડી દે, મારી રાહ હમણાં જતાં નહીં–મને હમણાં ગ્રાહક સિવાય બીજા કેઈ સાથે વાત કરવાનીએ કુરસદ નથી અથવા તે અહિં દુકાને જ ભાણું મેકલી દેજે. હું મારી અનુકૂળતાએ પતાવી લઈશ. હમણાં આ વ્યાપારની સીઝન છે. માટે ખાવાપીવા અંગેની મારી ચિન્તા કરતા નહિ? કહે વ્યાપાર વાણિજ્યમાં મન કેવું લીન બને છે. તેની લીનતામાં તે ખાવા પીવાનું પણ ભૂલી જાય છે. એનો એ માણસ જ્યારે પ્રભુપદ જપતો હોય ત્યારે તદ્દન દીન બનીને જપતો હોય છે. ત્યારે જ્ઞાનીઓને કહેવું પડયું છે કે આવા જીવની મુક્તિ કયાંથી થાય? જેમાં લીન બનવાનું છે તેમાં દીન બને ને જેમાં દીન બનવાનું છે તેમાં લીન બને છે. આ જીવની શું જેવી તેવી અવળાઈ છે. શ્રી નાગકેતુ પૂજા કરતા પરમાત્મ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy