SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ મને વિજ્ઞાન હાયતે રૂબરૂ કહેવું અને સામા માણસને સુધારવાના પ્રયાસો પણ કરવા. પ્રયાસો કરવા છતાં ન જ સુધરે તે તેની તરફ માધ્યસ્થભાવ ધારણ કરે કે બધા જ કર્મને આધીન છે, પણ કોઈની જે તેના મેઢે હલકાઈ કરવી એ સજનનું કર્તવ્ય નથી. પાયામાંજ હાડકાં આજે માનવી પિતાના મેરૂતુલ્ય દેષ જેતે નથી અને બીજાનાં આગૃતુલ્ય છિદ્ર જોતા હોય છે. એટલે પૂ.ઉપાધ્યાયયશેવિજયજીને લખવું પડ્યું કે “જેહને નિંદાની ઢાળ છે, તકિયા. તસ ફેક” જેનામાં નિંદાની કુટેવ છે તેવા મનુષ્યની તપકિયા ફેક છે. કેટલાં કડક શબ્દો ઉચ્ચાર્યા છે ! આજે ધર્મકિયાએ. ફળતી નથી તેનું કારણ પાયામાં આવા મેટા દોષ રહી ગયા છે. પાયામાં જ હાડકાં રહી ગયા હોય તે ઈમારતનાં ચણતર કામમાંભલીવાર કયાંથી આવે? જિનાલય જેવાં જિનાલયનું બાંધ કામ કરવું હોય તો તેના પાયામાં હીરા, માણેક, સુવર્ણ નાંખવું જોઈએ તેમ ધર્મ, રૂપ, ભવ્ય પ્રાસાદ ચણ હોય તે તેનાં પાયામાં નીતિ, ન્યાય, પ્રામાણિકતા, સત્ય, અહિંસા, સ્વદારા સંતોષ, અલ્પપરિગ્રહ, મૈત્રિ, પ્રદ રૂપી સદ્ગુણ હોવા જોઈએ તે જ ધર્મરૂપી પ્રાસાદનું ભવ્ય બાંધકામ થાય. આ તો પ્રસંગોપાત વિવેચન કર્યું. આવા શિક્ષણની આજે અગત્યની જરૂર છે. આપણી મૂળ વાત એ હતી કે સિંહગુફાવાસી મુનિ મહાન સમર્થ અને જ્ઞાની હોવા છતાં સ્થૂલિભદ્રજીનાં ઉત્કર્ષને સહી ન શકયા અને બીજી સાલનું ચાતુર્માસ કેશાને ત્યાં રહેવા માટેની ગુરુ ભગવંત પાસે અનુજ્ઞા માંગે છે. ગુરુ ભગવંત કહે છે, આમાં તારું કામ નથી, પ્રતિકૂળ પરિષહ સાધુ--
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy