SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અસિધારાવ્રત ૭૩ એક રાત્રિભેજન, કંદમૂળ કે સિનેમાનો ત્યાગ કરવો હોય તે. ગૃહસ્થને લાખ લાખ વિચાર થઈ પડે છે તો જેઓ જાવજીવ સુધી મહાવ્રતને પાળનારાં છે તેવા પુરુષની સ્તવના ન થાય તો છેવટે નિંદાના પાપથી તો બચવું. નિન્દા એ સારા માણસને ધંધે નથી કોઈ મૂર્ખ માણસ આવીને કહે કે મેં તે આજે સસલાને શીંગડા જેયા, વળી કઈ એમ કહે, મેં આકાશમાં ફૂલ ઉગેલાં જોયા તો આવી વાતનેડાહ્યા મનુષ્ય શું માન્ય રાખે? ન જ રાખે. બસ એવી જ રીતે અછતા દોષ ઊભા કરીને મહાપુરુષને નિંદવા અને તેમની ઉપર બેટા આક્ષેપ કરવાં એ બધી ગગનમાં ફૂલ ' ઉગવા જેવી અથવા તે સસલાને શીંગડાં ઉગવા જેવી વાતો છે. સાધુપુરુષની અથવા કેઈની પણ નિંદા કરતા હોય તેવાને - તમારે નૈતિક હિંમતથી કહી દેવું કે આવા ઘેર કર્મ શા માટે બાંધે છે? તમારી અમને દયા આવે છે આવા પાપ બાંધીને છુટશે યા ભવે? નિંદા એ સારા માણસને ધંધનથી. પહેલાના કાળમાં કઈ માટેની કેઈ નબળી વાત ફેલાવવી હોય તો એ ધંધો હજામને સેંપવામાં આવતું, જ્યારે એ ધંધે આજે તમે લઈ બેઠાં છે. જો કે કેઈ માટેની નબળી હવા ફેલાવવી એ પાપ છે અને કેઈની મારફત તેવો પ્રચાર કરાવો એ પણ પાપ છે. કેઈના દ જેવા જ ના જોઈએ. પ્રમાદને વશ જીવ છે. કયારેક જેવાઈ ગયા છે તે વ્યક્તિને રૂબરૂમાં જઈને કહી દેવું અને કહેવામાં પણ તે વ્યક્તિ અંગેની મનમાં હિતબુદ્ધિ હોવી જોઈએ દોષ દષ્ટિથી નિંદા થાય છે અને ગુણ ઉપર દષ્ટિ દેવાથી ગુણનુરાગ પ્રગટે છે. સર્વગુણી વીતરાગ છે, બાકી બધામાં ન્યૂ નતા રહેલી જ છે. તે પછી પોતે પોતાની અપૂર્ણતા વિચારવી એના જેવી બીજી કઈ ઉત્તમ વાત છે. છતાં નૈતિક હિંમત
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy