SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હતે. પંચમકાળમાં ચતુર્વિધ સંઘને સુગ મહાન પુણ્યને ઉદયે મળે છે. જે વેગને શાસ્ત્રકારોએ અતિ દુર્લભ કહ્યો છે. શાશ્વતી ઓળીના દિવસે માં પૂજ્યશ્રીને “શ્રીપાલ રાસ” નો સારભાગ કંઠસ્થ હોવાથી વ્યાખ્યાનમાં તે નવે દિવસ જાણે આનંદના સાગર ઉમટયા હતા. શ્રીપાલના રાસની ઢાળે રાગ રાગિણું પૂર્વક વિસ્તૃત વિવેચન સહીત સંભળાવતા હોવાથી અત્રેના ભાવિકોને એમ જ લાગ્યું કે પૂજયશ્રીના મુખેથી શ્રીપાળને રાસ સાંભળ એ તે જીવનને એક અનુપમ લાવે છે. રાસ તે આપણે સૌ વાચી જઈએ છીએ પણ પૂજ્યશ્રીએ જે તેમાંથી રહસ્ય સમજાવ્યા છે તે તે જીવનમાં જાણે પહેલી વાર સાંભળવા મા છે. અત્રના ચાતુર્માસમાં અમદાવાદમાં થલતેજ મુકામે નિર્માણ થતા વિદ્યાપીઠના કાર્યને પણ પૂજ્યશ્રીના ઉપદેશથી અપૂર્વ સહકાર મળેલ છે. ચાતુર્માસમાં આ પણ એક મહાન કાર્ય થએલ છે. આ સાંભળેલું કાંઈ યાદ રહેતું નથી. કંઈક આલંબન હોય તે પુનઃ પુનઃ મનન ચિંતન અને નિદિધ્યાસન કરી શકાય એટલે અત્રેને મુમુક્ષુઓએ પૂજ્યશ્રીના પોતાના હાથે લખેલા વ્યાખ્યાન સંગ્રહને એક પુસ્તક બહાર પાડવાને નિર્ણય કર્યો. અત્રેના વ્યાખ્યાને ખાસ લખી શકાયા નથી. એટલે પછી સં. ૨૦૨૯ત્ની સાલમાં કલકત્તા ક્ષેત્રમાંથી ૯૬, કેનીગ સ્ટ્રીટ, જૈન વેતામ્બર મૂર્તિપૂજક ગુજરાતી તપગચ્છ સંઘ તરફથી વિ.સં. ૨૦૨૮ ની સાલના કલકત્તાના
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy