SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલા પડેલા યાત્રી તન રૂપી મઠના ભરોસે શુ ? પૂ. આનંદઘનજીને પોતાના ગુણુ અંગેની દ્રઢ પ્રતિતી. થઈ ચૂકી છે. આગળ વધીને કહે છે કે, દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેગે, નાસી જાસી હમ સ્થિર વાસી, ચાખે હું નિખરેગે, [ ૧૭૦ અબ હમ અમર ભયે ન મરેગે, દેહ વિનાશી છે, જ્યારે હું. આત્મા અવિનાશી છું હવેથી અમે અમારા રાહ બદલ્યા છે. અનંતજ્ઞાનીએ ચી'ધેલા રસ્તે હવેથી અમે પ્રયાણુ આરભીશું. અને મેક્ષ માર્ગોમાં ગતિ કરતાં કરતાં આખર આત્માના શુદ્ધ સ્વરૂપને પામી જઈશું. “નાસી જાસી હમ થીરવાસી ચાખે હું નિખરે’ગે” શરીર નાશવત છે, અને તે એક દિવસે પડી જવાનું છે. આ શરીરરૂપી મઠ એક દિવસે જમીન દોસ્ત થયા વિના રહેવાતું નથી. આ મઠ એવું છે કે, કયારેક જોતજોતામાં ઢળી પડે. માટે આ તન રૂપી મઠમાં આત્માએ નિરાંતે સૂઈ રહેવા જેવું નથી. ઘરમાં આગ લાગી હોયને મકાનમાલિક સૂઈ રહે તે તે મહામૂર્ખ કહેવાય તેમ આખાએ લેકમાં જન્મ, જરા અને મૃત્યુની મહાલય'યકર આગ લાગી છે, અને આત્મા તન રૂપી મઠમાં નિરાંતે ઘસઘસાટ ઉંઘી રહ્યો છે. તેના જેવી ઘેર અજ્ઞાનતા બીજી કઈ હેાઈ શકે ?
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy