SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ૧૬૯ ] રસાધિરાજ નથી. આ પિતાના અંતઃકરણમાંથી ઉઠેલે રણકાર છે. બસ આનેજ દ્રઢ પ્રતિતી કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જેને દ્રઢ વિશ્વાસ કહેવામાં આવે છે. ગુણ પ્રગટે એટલે અંદરની દશા પલટાઈ જાય આજે ઘણને બોલતા સાંભળ્યા છે કે, કોણ જાણે આપણને સમક્તિ પ્રાપ્ત થયું હશે કે નહીં ? જ્ઞાની સ્વીકારે તે સાચું ! અરે ભાઈ! તને અંદરથી જે ચીજને સ્વીકાર થયું નથી તેને જ્ઞાની ક્યાંથી સ્વીકાર કરી લેશે ? સાકરને ગાંગડે મેઢામાં નાખનારને શું તેના સ્વાદની ખબર ન પડે ? કેરીની ચીર મેઢામાં નાખનારને શું તે અંગેનું કંઈ પણ મનમાં સંવેદન ન થાય? તે તે તરત બેલી નાંખે છે કે, અહા શું આની લહેજત છે! તેમ આત્મામાં ગુણ પ્રગટ હોય તે શું તે અંગેને આત્માને કંઈ પણ સ્વાનુભવ ન થાય ? સંવેદના એ આત્માને મુખ્ય ધર્મ છે, જડમાં કેઈપણ પ્રકારની સંવેદના નથી. આત્મા તે સંવેદનશીલ છે, સુખ–દુખ દરેક વસ્તુ અંગેનું આત્માને સંવેદન થયાજ કરતું હોય છે. તેમ જ્ઞાન, દર્શન કે ચારિત્રાદિ કઈ પણ ગુણ આત્મામાં પ્રગટ હોય તે તે અંગેને પણ આભામાં સ્વાનુભવ જાગવો જ જોઈએ. શરીરમાં નવું લેહી આવે એટલે શરીરની આખી રોનક બદલાઈ જાય છે. તેમ આત્મામાં સમ્યકત્વને ગુણું પ્રગટ એટલે આ દરની આખી દશા પલટાઈ જાય છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં આત્મા રમણતા કરતો થઈ જાય એટલે સમજવું હવે વહાણ કિનારે પહોંચવાની રેયારીમાં છે,
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy