SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ [ ૮૪ શરીર યંત્રમાં અને મન નવકાર મહામત્રમાં ત્યાંતા પાલક તાડુકીને ખેલ્યા, બધી વાત કરી છે પણ ઘાણીમાં પીલાશે ત્યારે ખબર પડશે. એ ટાઈમે હું જોઇશ, આ તમારૂ તત્ત્વજ્ઞાન તમને કેટલું ખપ લાગે છે ? એમ કહીને પાલકે મનુષ્યને પીલી શકાય તેવું યંત્ર તૈયાર કરાવ્યું અને તે ઉદ્યાનમાં લાવવામાં આવ્યું. અને પાલક એક પછી એક સાધુને પીલી નાંખવાની તૈયારીમાં છે. ખ'ધકસૂરિજી બધા મુનિવરશને યાગ્ય શિખામણ આપે છે કે, આપણાં માટે આ મરણાંત ઉપસના સમય છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં સાવધાન થઈ જજો. ચિત્તને નમસ્કાર મહામત્રનાં નિર્માળ ધ્યાનમાં અને ક્ષમા શુમાં પરાવી દેજો! મરણાંત ઉપસનાં આવા પ્રસ`ગે ક્ષમા રાખનાર કેવલજ્ઞાનને પામે છે. તેનાં દાતિકનાં ભુક્કાં એલી જાય છે ! મુનિવર્યાં ! એટલુ ધ્યાનમાં રાખજો કે, શરીરથી યંત્રમાં પિલાવવાનુ છે પણ મતથી સમતારસમાં ઝીલવાનું છે યંત્ર સામે ગાઠવાએલુ છે પણ નવકાર મંત્ર હૃદયમાં ગાઠવાએલે છે. એમત્રને પ્રભાવ એવા છે કે, આ યંત્ર વ્યવહારનયી તમારા શરીરને પીલી નાંખશે, પણ નિશ્ચયનયથી તમારા કર્માં પીલાઈ જશે. આવા ઘાર ઉપસર્ગ કરનાર આ પાલક આપણા દુશ્મન નહી, પણ ઉપકારી છે. આવા હિતશિક્ષાનાં વચને સાંભળી દરેક મુનિવરો મરણાંત ઉપસગ' વેઠી લેવા 'દરથી ખૂબજ ઉત્સાહિત મનવાળાં બની જાય છે. અને દરેકનુ સત્ત્વ અંદરથી ખૂબ ઉત્તેજિત બની ગયુ, તેમજ વિચારે છે કે, આ જીવે પરાધીન પણે ઘણુ વેઠેલું છે, આ તે
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy