SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ] સાધિરાજ ભવે ભગવાનનાં કાનમાં ખીલા ઠેકાણા, પણ બદલે લેનારની હાલત કેવી થઈ? જેઠ મહિનાની વૃષ્ટિની જેમ સંતોની વાણી પણ પરમ તુષ્ટિને આપનારી છે. રાજા અંતે-ઉર સહિત મહષિએનાં દર્શનાર્થે નિકળે. એટલે શહેરમાંથી પ્રજાજનોનાં ટોળેટોળાં ઉદ્યાનમાં ઉલટી પડે છે. મહષિ સંસારનાં ત્રિવિધ તાપથી સંતપ્ત રોતાજનના હૃદય પર અમૃતમય વાણું સુધાને ધોધ વરસાવે છે. જેઠ મહિનાનાં ધોમ તડકામાં મુસાફરીએ નિકળેલાં વટેમાર્ગ પર અણધારી વૃષ્ટિ થાય છે તેને કેટલે આનંદ થાય ? તેમ ભગવાનની વાણું પણ જેઠ મહિનામાં મુસાફરીએ નિકળેલાં વટેમાર્ગ પર પડેલી વૃષ્ટિની જેમ કષાયનાં તાપથી સંતપ્ત બનેલાં આત્માઓને તુષ્ટિપુષ્ટિ અને પરમ શાતિને આપનારી છે. મહષિની અમૃતમયી વાણી સાંભળી રાજા અને પ્રજાજને ખૂબ હષિત થયાં. ઘણાં રહળુકમ આત્માઓએ વ્રત-પચ્ચક્ખાણાદિ અંગિકાર કર્યા. તેમાંએ મહુષિના સંસારી પક્ષે સગા બહેન પુરંદશ્યશાને અપરંપાર આનંદ થયે તેને આત્મા આનંદવિભેર બની ગયે. સાધુ ભ્રાતાના મુખની અમૂલ્ય વાણી સાંભળી પુરંદરયશાને આત્મા જાણે આનંદનાં મહાસાગરમાં હિલેાળા લેવા લાગ્યું. દેશનાવિધિ સમાપ્ત થયા બાદ મહર્ષિઓનાં જ્ઞાન– ધ્યાનની અનુમોદના કરતાં સૌ પોતપોતાને ઘેર પહોંચી ગયા
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy