SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ [ st જૈન શાસ્ત્રોમાં પણ અનંતાનુબંધી ક્રોધ, માન માયા અને લેાભને નરકગતિનાં દ્વાર કહ્યા છે કષાયને લીધે કાઇ સાથે વૈર કદાચ બંધાઇ જાય પણ તેની સાથે ક્ષમાપના થઈ જવી જોઈએ, જેથી વૈરની પરંપરા લખાય નહિ, શ્રાવસ્તિમાં ભગવાનની મંગલ પધરામણી અહિ'ખ'ધકકુમારે એ સમયે પાલક પ્રતિ મનમાં લેશ પણુ રાષ રાખ્યા નથી અને સંપૂર્ણ ગંભીરતા ધારણ કરી હતી, પણ પાલકના મનમાં બંધકકુમાર પ્રતિ શલ્ય રહી ગયું'. રાજાએ પાલકને ત્યાંથી વિદાય કર્યાં એટલે તે કુભકારકટક નગરમાં આવે છે. એકવાર ભગવાન મુનિસુવ્રત સ્વામિ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યાં ભગવાનની દેશના સાંભળી ખધકકુમાર પાંચસો રાજકુમારોની સાથે દીક્ષા અ‘ગીકાર કરે છે. દીક્ષા અગીકાર કર્યા બાદ ખધક અણુગાર તપ-જપ, જ્ઞાન-ધ્યાનાદિમાં લીન મનવાળા ખની ગયા અને ભગવતે તેમને આચાય પદે અધિષ્ઠિત કર્યાં. ખધક આચાય એકવાર ભગવતને વિન'તી કરે છે કે, પ્રભુ ! મારે પુરંદરયશા નામે સ’સારીપક્ષે સગી બહેન છે, તેને મારી પર અથાગ ભ્રાતૃ પ્રેમ હતા. સાધુ થયા પહેલાં હું સંસારમાં હતા ત્યારે ભાઈ-બહેન વચ્ચે પરસ્પર અપૂર્વ સદ્ભાવ હતા. કુંભકારકટકના દડકરાજા વેરે તેને પરણાવવામાં આવી છે. આપ મને આજ્ઞા ફરમાવેા તા તે બહેન-બનેવી બન્નેને પ્રતિષેાધ પમાડવા મારી ઇચ્છા કુંભકારકટક તરફ વિહાર કરીને જવાની છે. ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે, ત્યાં તમેાને મરણાંત ઉપસગ થશે. માટે વિચારીને તે તરફ ડગ ભરવા જેવુ છે.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy