SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૨૫ કહે જે શી અદ્ભુતતા હતી એ? શાસનદેવતા તે સાધુવેશ આપી ગુણગાન કરી અને પુષ્પવૃષ્ટિ કરીને ગયેલ છે. હવે તે ત્યાં સૌધર્મ દેવકના ઈદ્ર આવ્યા છે, અને સંગ્રહીતનામધેય, મહાસત્વશીલ મહાયશસ્વી મહાનુભાવ મહર્ષિના માથે છત્ર ધરીને ઊભા છે. મહર્ષિ પિતે પ્રાપ્ત અપ્રતિપાતી અવધિજ્ઞાનથી જે અસંખ્ય ભવની દુર્દશા જોઈ રહ્યા છે. એનું ત્યાં વ્યાખ્યાન કરી રહ્યા છે. મહર્ષિની દેશના દુઃખને કરુણ ઇતિહાસ - - અસંખ્ય ભામાં કેવા કેવા સુખદુઃખ અનુભવ્યા, એમાં ય વિશેષ તે દુખની જ રામાયણ! તે નરક-નિગદતિર્યંચગતિને ભયંકર ત્રાસ-વિટંબણ–રીબામણનું અવધિજ્ઞાનથી જે નજરે દેખ્યાનું હુબહુ વર્ણન કરે છે ત્યારે સભા સહિત આ બંને રાજા થરથરી ઉઠે છે! કલેજું કંપી ઊઠે છે કે અરે ! આ ભયંકર દુ:ખ જીવને આ સંસારમાં જેવાં પડે છે? નથી ને આપણે આ ઉત્તમ ભવમાંથી ભ્રષ્ટ થઈ એવા સ્થાને પટકાયા તે કઈ દશા ? શું સહન થાય? ત્યાં પછી દેવતાઈ સુખનાં વર્ણન તે કશી જ લલચામણું કરી શકતા નથી. જેની પાછળ દીર્ઘતિદીર્ઘ કાળને દુખમય કરુણ ઇતિહાસ હોય એમાં શું સુખપણું લાગે? સંસાર વિષમય-વિષમ-વિચિત્ર – વળી મહર્ષિએ, આ સુખ દુખની ઘટમાળમાં કેવી રીતે સમ્યગ્દર્શન પામ્યા, કેવા શમ-સંવેગ-નિર્વે અનુકંપા.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy