SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [કુમી એવી રીતે અહીં પણ આ કર્મરેગના પ્રકપમાં ન કર્મ રેગ પેસે નહિ, એ માટે શુભ કાર્ય-પ્રવૃત્તિમાં ગૂંથાયા રહેવાનું. શુભ કાર્ય પ્રવૃત્તિ કઈ કઈ?– (૧) તત્વની વિચારણ, ચિત્તસમાધિ-સ્વસ્થતાનું સંરક્ષણ, હર્ષ-ખેદ વગેરેની અટકાયત, જે થયા કરે એ જરાય વિઠ્ઠલ થયા વિના જાણે આપણને કશું અડતું-આભડતું નથી એવા તટસ્થ ઉદાસીન ભાવે જેયા કરવાનું. . (૨) જગતના વિચિત્ર ભાવ, મહાપુરુષના ભવ્ય ગુણસાધન-ધર્મ સાધના–નિર્મળ પરાક્રમ વગેરે વિચાર્યા કરવાનું. મૈત્રી પ્રમોદ કારુણ્ય ઉપેક્ષા ભાવના ભાવ્યા કરવાની. (૩) તીર્થો, જિનબિંબે, સદ્ગુરુઓ, શાસ્ત્ર, નમસ્કારમંત્ર અને પવિત્ર ધર્માનુષ્ઠાને ના મળેલા ભવ્યાતિભવ્ય આલંબન પર વિચારણું રાખવાની. શકય પ્રવૃત્તિ કરતા રહેવાનું. (૪) જિનભક્તિ-સાધુસેવા-વત-નિયમ-સંયમ–દાન તપસ્યા-આત્મધ્યાન વગેરે. ' “આ આપત્તિ આ કમરેગ તે આમ પતી જવાને છે, અને મૂળ આરોગ્ય જે કાયમ જ છે, તે પ્રગટ થઈ જવાનું છે. બસ, મારે તે એના જ સાથે સંબંધ છે. અંતે એ મૂળ સ્વભાવ જ મારી ચીજ છે. એ પ્રગટ કરવાના રસ્તા પર જે હું છું, તે જેમ પગાર લાવી આપનારી નોકરીના માગે રહેલા નોકરને શેઠના આગંતુક ગુસ્સાગાળ-ઠપકાની બહુ ગણતરી નથી. એમ મારે આત્મસમૃદ્ધિ લાવી આપનારા મોં રહા, આ કર્મજન્ય આપત્તિ-ઉપાધિની
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy