SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ રુકુમી સારી વિચાર્યું શી રીતે આવે? પિતાના આત્મસ્વભાવનું આલંબન કરવાથી, એના પર દષ્ટિ કેન્દ્રિત કરી એને વળગીને વિચારસરણું રાખવાથી આવે. દા.ત. સીતાજી જે જંગલમાં તગેડાઈ જવાને પ્રસંગ આવ્યું હોય, તે આ રીતે સ્વભાવ અંગે વિચારણને ઝેક રહે - એકાએક આ શું થયું? પતિ કહે છે કે હું તે તમને પવિત્ર મહાસતી માનું છું પરંતુ આ લેક કહે છે -રાવણને ત્યાં રહી આવ્યા એ શાના પવિત્ર હોય? એમને હવે રાણી પદે કેમ રખાય? બસ, આટલા માટે મને દેશવટો તે પણ એકલા અટુલા ! અને તે ય કઈ પણ સાધન સામગ્રી વિના જ ! ફિકર નહિ. મારા આત્મા પરના પૂર્વના કર્મગ પાકવાના હિસાબે સ્વાભાવિક છે કે આત્મા આ જાતની અવસ્થામાં મૂકાય. આ વસ્તુસ્વભાવ છે, આત્માને ઔપાધિક સ્વભાવ છે. ઉપાધિ ટળી જતાં આત્માને આ કશું નથી રહેવાનું. એ એના મૂળ સ્વભાવમાં રહેવાનો.” છે શરીરને દાખલે લે. શરીર સહેજે ગમે તેવું સશક્ત નિરોગી તાંબા જેવું હોય, છતાં શરદી-સળેખમને પ્રકેપ થયે તે ત્રણ દિવસ આગંતુક નબળાઈ, હાડમાં તાવ, શિવેદના વગેરે આવે એ વસ્તુસ્વભાવ. પરંતુ તેથી શરીરના આંતરિક આરોગ્યને, લષ્ટપુષ્ટતાને કઈ વાંધે નથી. ત્રણ દિવસ એ શરદી–સળેખમને પિષક ખાન-પાન દેવાનું બંધ રાખી ઉપવાસ જ ખેંચી કાઢયા, પછી પારણે તદ્દન હલકું સાદું અને ઓછામાં ઓછી વિગઈ એવાળું લેવાનું રાખ્યું તે સ્કુતિ આવવા લાગી,પૂર્વવત્ સ્વસ્થ બનવા
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy