SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] [૩૭. વૃત્તિ થાય એ પણ મનને બગસ છે. મનના અગાડાથી આત્મા બગડે છે. કેઈના કર્માનુસાર થતા બનાવ ઉપર, આપણું મન કલુષિત કરવાનું આ કેવું મૂર્ખાઈભર્યું કામ ! શું એટલું ન વિચારી શકાય કે, ' બીજાની સારી-નરસી, વાત-વસ્તુ કે જે કર્મની વિચિત્રતાને આધીન છે, એના પર આપણું મન ડોળીને શું ફાયદો ? * કર્મ. આગળ જીવ નગણ્ય - * ધ્યાનમાં રાખવા જેવું છે કે સામાને એનાં કર્મ પિતાનું ફળ દેખાડે એમાં કેટલીય વાર એ જીવ અને આપણે નગણ્ય હોઈએ છીએ. કર્મ નથી એને ગણકારતા ને નથી આપણને ગણકારતા. કર્મ તે જીવની શરમ કે દયા વિના, કે જીવનું ગમે તેવું ઊંચું સ્થાન પણ ગણકાર્યા વિના, પિતાનું કામ બજાવ્યે જ જાય છે, પછી ભલે આપણે નાદાનપણે મનમાં ગમે તેવા-લેચા વાળીએ, પણ કર્મને એની ગણના નથી. તે પછી શી જરૂર ચા વાળવાની? લેચા વાળીને શા સારૂ આપણું કિંમતી મન બગાડવું કે જયાં આપણે નગણ્ય છીએ? આપણા મનની કિંમત આંકવા જેવી છે. જે આપણે એને એક મહાન કેહિનૂર હીરા જેવું મૂલ્યવાન સમજીએ, એ બહુ કિંમતી, એવી ભાવના ક્ય કરીએ, તે હીરાની જેમ એની રક્ષા કરવાની ને એને મેલ ન લાગવા દેવાની ભારે કાળજી અને ચીવટ રહે. કેવળજ્ઞાન પમાડનારા ૨ { ' . *
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy