SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨] [ રુકમી સંસ્કાર દઢ થતા જ ગયા, અને એ પૈસાએ આજે જીવનમાં એક પ્રધાન સ્થાન જમાવી દીધું. એમ ધર્મને જીવનમાં એક પ્રધાન સ્થાન આપી દેવું હોય, જડ-ચેતનના ભેદજ્ઞાનને સક્રિય બનાવ હેય, તે આત્મા અને આત્મહિતને ઉદ્દેશીને વિચારે વારંવાર આવે; સાંભળેલું વારંવાર યાદ કર્યા કરીએ, એના પર જગતની દુઃખદ કમવિડંબિત ઘટનાએ લઈ ચિંતન કરીએ, અનિત્યતા, અશરણુતા, વગેરેની જે ભાવના લાગુ થાય તેને વિચાર કરીએ આવું બધું થયા કરે તે ભાવના કરી ગણાય. ભાવના પર એનું સુસંસ્કરણ થયા કરે, ને એ જીવનમાં નવી નવી સ્કુતિ લાવે. ભાવના ભવનાશિની,” ભાવના તે આત્મા પરના સંસારને નાશ કરનારી છે, ભવ પાર કરાવનારી છે. ભાવના ભવનાશની આટલાજ માટે કે ભવનાં કારણભૂત સગદ્વેષાદિને એ નાશ કરે છે. ' પતંજલ યોગદર્શનકાર પણ કહે છે કે પ્રતિપક્ષની ભાવનાથી રાગાદિદોના સંસ્કાર નાશ પામતા આવે છે. પ્રતિપક્ષ એટલે વિપક્ષ વિરોધી. રાગને વિરોધી વૈરાગ્ય, દ્વેષને વિરોધી ઉપશમ, કામને પ્રતિપક્ષ બ્રહ્મચર્ય, ક્રોધને વિપક્ષ ક્ષમા ઈત્યાદિ. એ વૈરાગ્યાદિની વારંવાર ભાવના કરે, વિચાર કરે, હૃદયને એથી ભાવિન કરના ચાલે, એટલે રાગાદિ સંસ્કારે ઘસાતા આવે, અને વૈરાગ્યાદિના સુસંસ્કાર જામવા માંડે. પછી એની પરાકાષ્ઠાએ વીતરાગતા આવે. સાંભળીને ગયા પછી અસર કેમ નહિ? આ મહાલાભ કરાવનારી ભાવનાની કેવી સુંદર તક અહીં મળી છે! ખર્ચ પાઈને નહિ, મહેનત જરા હાથ ઊંચા કરવાની
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy