________________
પરિશિષ્ટ-૧૭ દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-સાધારણ દ્રવ્યનો મહિમા અને
તેના ભક્ષણ-વિનાશથી મળતા કવિપાકો
દેવદ્રવ્ય વગેરે સાત ક્ષેત્રનાં વહીવટના અધિકારી કોણ?
अहिगारी य गिहत्थो सुह-सयणो वित्तमं जुओ कुलजो। अखुद्धो धिई-बलिओ, मइमं तह धम्मरागी य ॥५॥ ગુ-પૂH-ર-ર, સુસૂમાર ગુણસંગો જેવા णायाऽहिगय-विहाणस्स धणियमाणा-पहाणो य ॥६॥ पञ्चाशक-७ ।
સારાંશઃ શ્રીદ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિવર પંચાશક પ્રકરણ ગ્રંથના આધારે કહે છે કે – ધર્મને અનુકૂળ કુટુંબવાળો, ન્યાય-નીતિથી પ્રાપ્ત ધનવાળો, લોકોમાં સન્માનીય, ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલો, અશુદ્ર = ઉદારતાને-મહાનતાને વરેલો, જવાબદારી વહન કરવામાં ધીર, બુદ્ધિશાળી, ધર્મનો અત્યંત રાગી, ગુરુ ભગવંતની ભક્તિને કરનારો, શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણવાળો, ધર્મદ્રવ્યની વૃદ્ધિના ઉપાય જાણનારો અને શાસ્ત્રાજ્ઞાને આધીન રહેનારો ગૃહસ્થ સાતક્ષેત્રની વ્યવસ્થા કરવા માટે અધિકારી છે. વહીવટકારોની વિશિષ્ટ યોગ્યતા:
मग्गाऽनुसारी पायं सम्मदिट्ठी तहेव अणुविड्। एएऽहिगारिणो इह, विसेसओ धम्मसत्थम्मि ॥७॥
સારાંશ માર્ગાનુસારી, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિને પામેલા આત્માઓ ધર્મશાસ્ત્રના આધારે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ-વ્યવસ્થા માટે વિશેષ અધિકારી છે. (ધર્મસંગ્રહ)
जिणपवणयवुड्डिकर, पभावगं णाण-दंसण-गुणाणं । वुटुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१४३॥