________________
૩૫૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્ય' સ્વરૂપ જણાવેલ છે અને તેને આઘીપાછી કરવાથી અનંત સંસાર થાય છે, એમ જણાવેલ છે. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનના સમર્થનમાં લખેલી પુસ્તકોમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્ય તરીકે જણાવે છે. આ સ્પષ્ટ વિરોધાભાસ છે. પરિશિષ્ટ-૩માં આપેલા પત્રવ્યવહારોમાં પૂ.આ.ભગવંતોના અભિપ્રાયો પણ સ્વપ્નાદિકની ઉછામણીને જીર્ણોદ્ધારમાં જવા યોગ્ય દેવદ્રવ્ય' તરીકે ગણવાના જ છે. તે આપણે જોયું જ છે. તેમના પુસ્તકના વિધાનો નીચે મુજબ છે—)
બેશક, અબજોની પણ આ કરણી ઓછી ગણાય તેવાં આપણાં પ્રાચીન તીર્થો, જિનાલય અને જિનબિંબો છે. તેમના જિર્ણોદ્વારાદિ માટે ક્રોડો રૂપિયાની સદા જરૂ૨ ૨હે. તે માટે જે દેવદ્રવ્ય અંગે ખૂબ કડક વ્યવસ્થા, દીર્ઘદ્રષ્ટા પૂર્વાચાર્યોએ કરી છે. તેની વૃદ્ધિ માટે ઉપધાનની માળ, સ્વપ્નની બોલી વગેરે નવા પ્રકારો પણ શોધ્યા છે. તેનો એક પૈસો પણ અજાણતાંય આઘો પાછો કરે તે અનંત સંસારી થાય' તેમ જ્ઞાનીઓએ જણાવ્યું છે.
પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર
(C) ‘સિદ્ધાંતના ભોગે એકતા કદાપિ નહિ”
(પુસ્તક : ઇતિહાસનું ભેદી પાનું)
(પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી ઉપરોક્ત પુસ્તકના લખાણને પણ જો તેઓ વફાદાર ન રહી શકતા હોય તો તેઓ આહ્વાન શેના જોરે આપતા હશે ?)
જૈન ધર્મના કહેવાતા આ ચારેય આમ્નાયમાં જેમ સ્વધર્મ પરંપરાને ચુસ્ત રીતે પાળનારાઓનો એક વર્ગ છે, તેમ તે દરેક આમ્નાયમાં આવા શ્રદ્ધાભ્રષ્ટોનો પણ વર્ગ છે. એ બધાય ભેગા થઈને બુદ્ધિવાદના ઓઠા નીચે પાંચમો ફીકો જ ઊભો કરી રહ્યા છે. આ પાંચમો ફીકો પણ ચારે ય ફીરકાના બુદ્ધિજીવીઓનો બનેલો હોવાથી.
આ લોકોએ પોતાની એકતા કરી છે. એમની એકતા સહેલાઈથી થાય તેવી પણ છે, કેમ કે, કોઈ પણ સિદ્ધાંતનો ત્યાગ કરી દેવામાં કે કોઈ પણ અપસિદ્ધાંતનો સ્વીકાર કરવામાં જે ટોળીની વૃત્તિ જોરમાં હોય તે ટોળીને એકતા કરવામાં જરાય મુશ્કેલી ન જ પડે. આવી સિદ્ધાંતહીન એકતાનું આ જૂથ જૈન