SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આશ્વાસનો પોલા લાગે છે. (vi) સં. ૧૯૯૦'ના સંમેલને ભગવાન અપૂજ ન રહે એ માટે અશક્ત સ્થળે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની અપવાદિક રજા આપી હતી. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલને એવા વિશેષ કારણ વિના શક્ત-અશક્ત તમામ સ્થળે દરેક સંઘ-શ્રાવક માટે દેવદ્રવ્યથી જિનપૂજા ઉપરાંત મહાપૂજા-સ્નાત્રપૂજા આદિની રજા આપીને દેવદ્રવ્ય લુંટાવી દેવાનો રાજમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે અને શ્રાવકોને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણના પાપમાં નાંખવાનું કામ કર્યું છે. -આટલા તફાવતોથી વાચકો સમજી શકશે કે, કયું સંમેલન પોલું છે - આત્મહિતઘાતક છે – સુવિહિત પરંપરાનું લોપક છે. આમ છતાં લેખકશ્રી સં. ૨૦૪૪'ના સંમેલનને શ્રેષ્ઠ જણાવે છે - તે વ્યાપારીની જાહેરખબર જેવી ભાષા સમજવી. નકલી માલ રાખનારો અપ્રમાણિક વેપારી પણ જાહેરખબરમાં તો અસલીની જ સુફીયાણી વાતો કરતો હોય છે. બાકી તો સં. ૧૯૯૦ના સંમેલનના સૂત્રધારો પૈકીના પોતાના વડીલોને પોલી સર્વસમ્મતિ કરીને ખાબોચિયામાં પડ્યા છે એમ કહેવું અને પોતાને સાગરમાં ભળ્યા તેમ કહેવું, અર્થાતુ પોતાનાવડીલોને પોલી સંમતિવાળા કહેવા અને પોતે અશાસ્ત્રીય નિર્ણયો કરવા છતાં શાસ્ત્ર મુજબ કર્યું એમ કહેવું, એ કેટલા વિવેકની વાત છે તે વાચકોએ સ્વયં વિચારવું. બાકી સં. ૨૦૪૪ના સંમેલનકાળનો અને પછીનો માહોલ કેવો હતો, તે તો સંમેલન અધ્યક્ષશ્રીના પરિશિષ્ટ-૧૦માં આપેલા હૃદયદ્રાવક પત્રમાંથી અંદાજ આવી જશે. મુદ્દા નં. ૧૮ઃ (પેજ નં. ૧૭૩) “સંમેલનનાં વિરોધી કહે છે કે સ્વપ્ન દ્રવ્ય કે કેસરાદિની બોલી ચડાવાનાં દ્રવ્યથી દેવ પૂજાની સામગ્રી ન લવાય અને પૂજારી આદિને પગાર ન અપાય. આજ મહાનુભાવો ઠેરઠેર “જિન ભક્તિ સાધારણ એ નામનું ફંડ કરાવે છે. બાર માસનાં કેસર અગરબત્તી વગેરેના લાભ લેવા માટે કેસર વગેરેની બોલી બોલાવે છે તે રીતે ધન પ્રાપ્ત થયું. તેમાંથી બહારગામથી આવેલા યાત્રિકો વગેરેને કેસર વગેરે પૂજા
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy