________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૨૭ પાર્શ્વભૂમિકા, સંમેલનોનો માહોલ, સંમેલનોના ઠરાવો અને સંમેલન પછીના માહોલનો વિચાર કરશો તો લેખકશ્રીની વાતો જ પોલી સિદ્ધ થશે.
(૨) અવસર પ્રાપ્ત બંને સંમેલનો વચ્ચેનો તફાવત પણ સમજી લઈશું - | (i) સં. ૧૯૯૦ના સંમેલનની પૂર્વભૂમિકા સ્વચ્છ-દંભરહિત હતી. ત્યારે સં. ૨૦૪૪ના સંમેલનની પાર્શ્વભૂમિકામાં એવું લેશમાત્ર કહી શકાય તેમ નથી.
(ii) સં. ૧૯૯૦ના સંમેલનમાં તપાગચ્છના સર્વે સમુદાયોના પ્રતિનિધિઓ ભેગા થયેલા હતા. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનમાં અમુક જ સમુદાયો ભેગા થયેલા હતા. અમુક સમુદાયોને ઈરાદા પૂર્વક દૂર રખાયા હતા.
ii) સં. ૧૯૯૦ના સંમેલનોના ઠરાવો શાસ્ત્રસાપેક્ષ હતા અને સર્વસંમતિથી થયેલા હતા અને સંમેલન પછી વર્ષો સુધી એનો વિરોધ થયેલો નથી. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનોના ઠરાવો શાસ્ત્ર નિરપેક્ષ હતા અને અનેકના વિરોધની અવગણના કરીને સર્વસંમતિથી થયા નથી અને સંમેલનની પૂર્ણાહુતિની સાથે વિરોધના જબરજસ્ત વમળો સર્જાયા હતા.
(i) સં. ૧૯૯૦ના સંમેલને શાસ્ત્રાનુસારી પરંપરા અનુસારે ઠરાવો કર્યા હતા. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલને શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધદેવદ્રવ્યવિઘાતક ઠરાવો કર્યા હતા.
() સં. ૧૯૯૮”ના સંમેલનના ઠરાવો મુજબની વ્યવસ્થા શ્રીસંઘોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. જ્યારે સં. ૨૦૪૪'ના ઠરાવો મુજબની વ્યવસ્થા શ્રીસંઘોએ ફગાવી દીધી હતી અને આજસુધી એક ચોક્કસ વર્ગની તનતોડ મહેનત છતાં તેમાં ધારી સફળતા મળતી નથી. કારણ કે, શ્રીસંઘો દેવદ્રવ્યના ભક્ષક બનવા તૈયાર નથી અને તેમણે આપેલા