SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (vi) ધા.વ.વિ.ના પરિશિષ્ટ-રમાં ઉપદેશપદ-વસુદેવહિંડી આદિ ગ્રંથોના શાસ્ત્રપાઠોને આગળ કરીને “દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકે” આવું પ્રતિપાદન કરતી વખતે કયા પ્રકારનું દેવદ્રવ્ય તે શાસ્ત્રપાઠમાં જણાવ્યું છે, તે અંગે ક્યાંયે ખુલાસો કર્યો નથી. એટલે લોકો બ્રાન્તિમાં પડે કે કોઈપણ પ્રકારના દેવદ્રવ્યથી જિનપૂજા આદિ કૃત્યો થઈ શકે છે. (vi) આ સર્વે વિસંવાદોનું મૂળ કારણ શાસ્ત્ર-પરંપરાથી વિરુદ્ધ માન્યતાનો મિથ્યાભિનિવેશ છે અને મિથ્યાભિનિવેશના આવેશને કારણે જ પરસ્પર વિરોધાભાસોને અને શાસ્ત્ર-પરંપરાના નિષેધને નજર-અંદાજ કરવામાં આવ્યા છે. પરિણામે જૈનશાસનની મૂળ પરંપરા સામે જોખમ ઊભું થયું છે અને સંઘજનો ગેરમાર્ગે દોરવાય તેવી શક્યતા ઊભી થઈ છે. આથી જ અમારે વિરોધ કરવાની ફરજ પડી છે. (L) શ્રાદ્ધવિધિ અને દ્રવ્યસપ્તતિકાના પાઠની વિચારણા પૂર્વે કરી જ છે. તેથી પુનઃ કરતા નથી. (૫) સેનપ્રશ્નના પાઠ અંગે અગત્યનો ખુલાસો: (A) “ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકના પરિશિષ્ટ-૨માં પૃ. ૧૩૧ ઉપર “સેનપ્રશ્ન” (પૃ.-૨૮)માં કહ્યું છે – એમ જણાવીને સંસ્કૃત પાઠમાં પ્રશ્ન અને ઉત્તર બંને આપ્યા છે. પરંતુ એમાં પ્રશ્ન અધિકાર આખો લખ્યો છે. પરંતુ ઉત્તર' અધિકાર આખો લખ્યો નથી. આ એક અનુચિત કૃત્ય છે. તેનું કારણ આગળ વિચારીશું. અહીં પહેલાં ધા.વ.વિ.માં જણાવેલ સેનપ્રશ્નનો પ્રશ્નોત્તર મૂકીશું. તે પછી સાચો પ્રશ્નોત્તર મૂકીશું (N) સેનપ્રશ્નમાં - ज्ञानद्रव्यं देवकार्ये उपयोगी स्यान्नवा ? यदि स्यात्तदा देवपूजायां प्रासादादौ वा
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy