SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૮૧ કર્યા છે, તેનાથી કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં. શ્રીસંઘમાં વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકાને જ અનુસરવું. અમે જણાવેલા ભેદો કાલ્પનિક નથી. પરંતુ વાસ્તવિક છે. કારણ કે, શાસ્ત્ર + પરંપરાથી એને સમર્થન છે. તેની પૂર્વે વિગતવાર ચર્ચા કરી છે. (૭) તે પક્ષની દેવદ્રવ્યની વ્યાખ્યા અને પ્રકારોની રજૂઆતની વિસંવાદિતા (અસમંજસતા) પણ ઓળખવા જેવી છે. તે નીચે મુજબ છે - (i) “ધાર્મિક વહીવટ વિચાર'માં સંબોધ પ્રકરણના આધારે દેવદ્રવ્યના ત્રણ પ્રકાર પાડ્યા અને તે ત્રણ પ્રકારના દેવદ્રવ્યની આવકની સ્રોત અને ઉપયોગની વિગત પણ બતાવી છે. તે ત્રણ પ્રકારના દેવદ્રવ્યની આવક-જાવકના નિરૂપણમાં સંબોધ પ્રકરણકારશ્રીએ કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીની આવકનો સમાવેશ કર્યો નથી, છતાં પણ તેમણે એનો સમાવેશ એમાં કર્યો (i) નિર્માલ્યદ્રવ્યના ઉપયોગના વિષયમાં ધા.વ.વિ.ના લેખકશ્રીએ અને પરિશિષ્ટકારે જુદું જુદું નિરૂપણ કર્યું છે.. () દ્રવ્યસપ્તતિકાની અવચૂરિ વગેરે ગ્રંથોમાં બતાવેલા દેવદ્રવ્યના પ્રકારોને નજર અંદાજ કરીને તમામ પ્રકારના દેવસંબંધી દ્રવ્યનો ત્રણ પ્રકારમાં સમાવેશ કરવાનો આગ્રહ સેવ્યો છે. જે શાસ્ત્રપરંપરાથી વિરુદ્ધ છે. એવો આગ્રહ રાખ્યા પછી પણ ધા.વ.વિ.ની બીજી-ત્રીજી વગેરે આવૃત્તિમાં પ્રભુસમક્ષ મૂકેલા ભંડારની આવકનો ક્યાંયે સમાવેશ કર્યો નથી. (vi) અરે ! આખા પુસ્તકમાં ભંડારની આવક અંગે મૌન રાખવામાં આવ્યું છે.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy