SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨ ), પ્રસિદ્ધ વેપારી (લહી) હતે. એ ૧૪૫૧-૫૨ માં ગ્રન્થની વ્યવસ્થા રાખવાને એક મન્દિરમાં જતે આવતે. કાળે કરીને ખવાઈ ગયેલા એક ગ્રન્થ ઉપર એની નજર પી. એને સમૂળ નાશ ન થઈ જાય એટલા માટે એ ગ્રન્થની બીજી પ્રત કરાવી લેવાની એને જરૂર લાગી. એ મન્દિરને વહીવટ તે વેળાએ જ્ઞાનની નામે સાધુના હાથમાં હતા, તેમની પાસે એણે એ ગ્રન્થ માગી લીધે, જ્ઞાનજીએ ત્યારપછી બીજા ગ્રન્થ પણ એને આપ્યા. લંકાશાએ એ ગ્રન્થની નકલે કરાવી લીધી. એ ગ્રન્થ વાંચવાથી એને જણાયું કે એ ગ્રન્થમાં તે તે સમયે મદિરમાં ચાલતી મૂર્તિપૂજા હતી જ નહિ, વળી જે આચારે તે વખતે જૈન ધર્મમાં પળાતા તેમાંના પણ અનેક એ ગ્રન્થ પ્રમાણે ધર્મસમ્મત નહોતા. આથી એણે વિશેષ સંશધન કરવા માંડ્યું અને નકલ કરવા જે ગ્રન્થ એણે આણેલા, તેમાંનાં ઘણાં સૂત્રની નકલ પિતાને માટે કરી લીધી. એ બધા ગ્રન્થના સંશોધનથી એ એવા નિર્ણય ઉપર આવ્યું કે અપભ્રષ્ટ થયેલા જૈનધર્મમાં સુધારો કરે અને તેને પાછો પિતાના શુધ્ધ સ્વરૂપમાં આણ. બેશક જ્ઞાનજીને તે એ ફેરવી શકયે નહીં. અને બીજા અનેક સાથે એણે એ વિષે વાત કરી, પણ કેઈએ એને સમ્મતિ આપી નહિ, છતાં આખરે એ પિતાનું ધાર્યું કરી શકે, કારણ કે શત્રુંજયની જાત્રા કરીને એક સંઘ અમદાવાદ થઈને જતો હતું તેને એણે પોતાના મતને કરી નાખે. પણ જ્યાં સુધી આચાર્ય થઈ શકે એ સાધુ કઈ મળે નહિ ત્યાં સુધી ન સમ્પ્રદાય સ્થાપી શકાય નહિ. માગી નામે એક શ્રાવક આ સમ્પ્રદાયને સાધુ થયે, એટલે એ સંકટ ટળ્યું. અને ૧૪૬૭માં એ પોતે પણ સાધુ થયે. ને ( જુને) અથવા તે તુષાના સંઘને એ પ્રથમ ગણધર થયે ને ત્યારપછી એના શિષ્ય એ પદે આવ્યે ગયા. પછીથી લંકામતમાં પણ ભાગવિભાગ પડી ગયા. સુરતને એક જૈન સાધુ થઈ ગયેલે તે વીરના પુત્ર રાનીએ વળી લંકામતમાં સુધારે કરવા ધાર્યું. એણે જોયું કે લોંકાઓ ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે બરાબર ચાલતા નથી. એણે ન સમ્પ્રદાય સ્થા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy