SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬): તેની તપાસ કરે છે. જે આ બધાનું પરિણામ સજોષજનક આવે તે વિધિપુરઃસર વાગ્દાન થાય છે અને ભેટે અપાય છે. વાગ્દાન અને વિવાહ વચ્ચે બહુ વર્ષો વીતી જાય છે અને વર જ્યારે ૧૫ વર્ષ અને કન્યા ૧૨ વર્ષની કે તેથી એ મેટી થાય છે ત્યારે વિવાહ થાય છે. જોષી પાસે લગ્નનું શુભ મુહૂર્ત કઢાવે છે અને શુભ રાશીનું મુહૂર્ત મર્ચે લગ્નક્રિયા કરવામાં આવે છે. પછી બંને પક્ષના વડીલે ઘરમાં માતાની, ષષ્ઠીની, ગણેશની, કન્દપની અને કુલકરની (પૃ. ૨૭૦) પૂજા કરે છે. લગ્નને પૂર્વને દિવસે વરકન્યાને સ્નાન કરાવે છે, તેલ (પીઠી) ચળે છે અને બીજી શુભ ક્રિયાઓ કરે છે. લગ્નને દિવસે વરને સુન્દર રીતે શણગારે છે, ઘોડા કે હાથી ઉપર બેસાડે છે અને કન્યાને ઘેર લઈ જાય છે. વરઘેડામાં સાથે સગાંસમ્બન્ધીઓ હોય છે, સ્ત્રીઓ મંગળ ગીત ગાય છે. વરઘોડાને મેખરે બ્રાહ્મણ ચાલે છે તેઓ ગ્રહોની કુડી અસર શમાવવાને માટે (ગ્રહશાન્તિ) મંત્ર ભણે છે, અનેક પ્રકારની ક્રિયાઓ કરાવ્યા પછી વરકન્યાને સાથે સાથે બેસાડે છે અને તેમના હાથ કેશર-રેગ્યા નાડાથી એકઠા બાંધે છે અને ત્યારે હસ્તબંધનમંત્ર ભણતાં ભણતાં એ બે સદા એક રહે ” એ આશીર્વાદ આપે છે. - કન્યાના પિતાના ઘર સામે ચેકમાં લાકડાનો ચતુષ્કોણ મંડપ બાંધેલ હોય છે ને તેની અંદર ચોરી કરેલી હોય છે. એ ચોરીના મધ્યમાં અગ્નિ પ્રકટાવે છે. તે અગ્નિની ચારે બાજુએ વરકન્યાને ફેરા ફેરવે છે ને તે પ્રસંગે પણ અનેક ક્રિયાઓ કરાવે છે. ત્યારપછી વર કન્યાને હાથ ગ્રહે છે અને ત્યારે પાછા મંત્રે છેલવામાં આવે છે. આવી રીતે લગ્નની ક્રિયા સમાપ્ત થયા પછી દક્ષિણ અપાય છે. ત્યારપછી ગુરૂ વરકન્યાને માતૃસ્થાપનાવાળા ખંડમાં લઈ જાય છે, ત્યાં વળી કેટલીક ક્રિયાઓ થાય છે ને ભેટો અને પાય છે. વળી પાછાં વરકન્યા મંડપમાં આવે છે, ત્યાં પાછી વળી કેટલીક કિયાઓ થાય છે. ત્યારપછી એ બને શયનગૃહમાં જાય છે, ત્યાં એ બેએ પ્રથમ રાત્રિ સાથે ગાળવાની હોય છે. એ ગૃહમાં નવીન દમ્પતી અનંગદેવની પૂજા કરે છે, એકઠા બેસી દૂધ ને
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy