SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) તા થાડાક અથવા તે એક જ દિવસ બ્રહ્મચારી ગુરૂ પાસે રહે છે. બ્રહ્મચર્યાશ્રમ સમાપ્ત કરવાને માટે વ્રતવિસર્જ સંસ્કાર કરવામાં આવે છે. એ સંસ્કારમાં બ્રહ્મચારી વલ્કલના, ઈંડના અને ઉપનિતના ત્યાગ કરે છે. ગુરૂના આદેશ સાંભળે છે ને શુરૂ અને આશીર્વાદ આપે છે. ત્યારપછી ગાદાનની ક્રિયા કરવામાં આવે છે, એ ક્રિયામાં બ્રહ્મચારી ગુરૂને સુન્દર શણગારેલી ગાયનું દાન કરે છે અથવા ખીજી દક્ષિણા આપે છે. પછી સાધુઓને વસ્ત્રો, આહાર સામગ્રી, પાત્રા અથવા એવી વસ્તુઓનું દાન કરે છે. ઉપનયનને અને ઉપવિતને સ્થાને શૂદ્રોને બીજી એક ક્રિયા રાવવામાં આવે છે, તેને ઉત્તરીયક ન્યાસ કહે છે. એ ક્રિયામાં એવાજ મત્રા ભણે છે, તેને એવું જ શિક્ષણ આપે છે અને તે એજ પ્રકારે દાન કરે છે. તેરમા સંસ્કાર ઘ્યયન સંસ્કાર છે. તેમાં અમુક વિધિએ કરવાના છે. મંદિરમાં અથવા કન્નુમ્મવૃક્ષ નીચે બ્રહ્મચારી ગુરૂની ડાબી બાજુએ કુશાસન ઉપર બેસે છે. એના જમણા કાનમાં ગુરૂ ત્રણવાર સારસ્વત મંત્ર ભણે છે, પછી મોટા સમારમ્ભ સાથે એને ઉપાધ્યાય પાસે મૂકી આવે છે. બ્રહ્મચારી બ્રાહ્મણ હોય તે ઉપાધ્યાય એને આયુર્વેદ, ૬ અગ, સ્મૃતિઓ અને પુરાણુ શીખવે છે; ક્ષત્રિય હાય તા અને આયુર્વેદ, ધનુર્વેદ, રાજનીતિ અને આજીવિકાશાસ્ર૬ શીખવે છે; વૈશ્ય હાય તા એને સ્મૃતિ અને આજીવિકાશાસ્ત્ર શીખવે છે અને ત્રીજી નાતનાને તેને ઉપયાગી વિદ્યા શીખવે છે. ગૃહસ્થસ ધમાં સૌથી મહત્ત્વના સ ંસ્કાર તે ૧૪ મા વિવાદ૭ સંસ્કાર છે. એક જાતનાં પણ ભિન્ન ગેાત્રનાં બે જણુ વચ્ચે વિવાહ થઈ શકે. બાળકા હજી તેા કુમળી ઉમરનાં હાય, તે સમયથી મામાપ તેમના લગ્ન માટે કાઇ સારા કુટુમ્બની શોધમાં રહે છે. જો ફ્રાઇ ચેાગ્ય કુટુંબ મળી જાય તેા તેમની સાથે વાતચીત કરે છે અને અન્ને પાત્રાના જન્માક્ષર મેળવે છે અને મળતા આવે છે કે કેમ ૫૪
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy