SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫ ) નો ત્યાગ કર્યો અને કુંકપુરની પાડેશમાંના જ્ઞાતાલંદવન નામે ઉપવનમાં ગયા ત્યાં અશોકવૃક્ષ નીચે એમણે છઠ્ઠને તપ કરી, પંચમુષ્ટિ લેચ કર્યો એટલે પાંચ મુઠી વાળ ઉતાર્યા અને સાધુને સ્વાંગ ધારણ કર્યો, પછી તેર માસ સુધી બદલ્યા વિના એક જ વસ્ત્ર ધારણ કર્યું, ત્યારપછી તે તે પણ ત્યજી દીધું ને દિગમ્બર તપસ્વી રૂપે રહેવા લાગ્યા. એમ જણાય છે કે છેડે વખત તે પિતાની માતૃભૂમિ પાસેના કે પ્રદેશમાં આવેલા પાર્શ્વનાથના સમ્પ્રદાયના સાધુસંઘમાં જઈ રહ્યા, પણ પછી ત્યાંના બીજા સાધુઓ સાથે મતભેદ થતાં એ ત્યાંથી નીકળી ચાલ્યા ને પરિક્રમણ કરવા લાગ્યા. ટાઢતડકાની કશી પણ પરવા કર્યા વિના એમણે ત્યારપછી બાર વર્ષ કરતાં વધારે વખત સુધી ફર્યા કર્યું. કઠણ વનપ્રદેશનાં દુઃખ સહ્યાં અને માનવીઓ વિગેરેની તરફના પરિસહ અને ઉપસર્ગ સહ્યા. સર્વ પ્રકારના કાયકલેશ ઉઠાવ્યા ને સહ્યા, ધ્યાન ધર્યું અને જગત તથા પ્રારબ્ધ વિષેના વિચારે ઉપર ચિન્તન કર્યું. બહુ બહુ વિચાર કર્યા પછી–બહુ બહુ ચિન્તન કર્યા પછી અત્તે એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, એટલે કે સંસારના સ્વરૂપનું એમને સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન થયું અને પરમકલ્યાણને–નિર્વાણને-માર્ગ એમને જડ્યો. મિવગ્રામ નામના સ્થળની પાસે રિગુપત્તિ નદીને કાંઠે શાન વૃક્ષની નીચે એમને આ જ્ઞાન થયું. એ ચિરસ્મરણીય ક્ષણથી વર્ધમાન, (આજે એમનું સન્માનીય નામ માર છે) નિન એટલે વિજેતા થયા, અર્થાત જેમણે સંસાર ઉપર વિજય મેળવ્યું છે તેવા થયા. પ્રત થયા, થે થયા. ત્યારથી પાર્શ્વનાથના ધર્મને સંસ્કાર આપી નવું સ્વરૂપ આપવું અને ધર્મસત્ય પ્રાણીમાત્રને સમજાવવું એ પિતાની ફરજ એમણે માની. પછીના જીવનને બે ભાગ એમણે તે માટે માન્ય અને દેવને ને માણસને, આર્યને ને અનાર્યને સૌને સત્યધર્મને ઉપદેશ આપે. પોતાની માતૃભૂમિ બહારના સર્વે પ્રદેશમાં પરિભ્રમણ કર્યું અને અનેક જણ તેમના શિષ્ય થયા.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy