SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) દર્શનથી જ્ઞાન પામ્યા હતા એવા ઘણા યે ભકતજનની કથાઓ છે. શિંગડાં અને પંછી વિનાના બળદિયા જ ત્યારે આવા પવિત્ર સાધનના ઉપગને નિષેધ કરે. મૂર્તિપૂજાના વિરોધીઓ –સ્થાનકવાસીઓ (તેઓ પિતાનાં ઉપાશ્રયમાં જ ભકિત કરે છે, દેવાલમાં નહિ) તેને વિરોધ કરે છે તેઓ કહે છે કે “મૃતિપૂજાનું વિધાન તીર્થકરોએ આપ્યું જ નથી.” મહાનિશીથ સૂત્ર જેવા જે ગ્રન્થમાં મૂર્તિપૂજા વિષે મહત્વના વિધિ આપેલા છે તે ગ્રન્થોને તેઓ પ્રમાણભૂત માનતા નથી અને બીજા ગ્રન્થમાં મૂર્તિપૂજા વિષે જે જે ઉલ્લેખ આપ્યા છે તે તે સૌ પ્રક્ષેપ છે એટલે પાછળથી ઉમેરાયા છે એમ કહે છે. વળી “સંસારમાં વિલાસ ભેગવનાર દેવેના જેવી સંસારત્યાગી જિનેની પૂજા કરવી તે અનુચિત છે, મૂર્તિપૂજા જૈનધર્મની ભાવનાથી વિરુદ્ધ છે; કષાયમાંથી અને કર્મમાંથી જીવને મુક્ત કરે એ ભકિતને હેતુ છે, જીવનમાં પોતાનાં જ કાર્યથી આ બની શકે, સંસારત્યાગી તીર્થકરોની નિજીવ પ્રતિમાને પુષ્પ અને ફળ ધરાળ્યું નહિ. સંસારમાંથી ચિત્ત સંકેલી લેવાનું મન્દિરની ભપકાદાર કિયાઓથી બની શકે નહિ, એથી તે ઉલટી સંસારનાં બંધનની સાંકળો સજડ થાય. પૂજારી ઘંટાનાદ, વાદ્ય અને નૃત્યથી તીર્થંકરની શાન્ત પ્રતિમાને તેની શાન્તિમાંથી જગાડે, ત્યારે તે દ્વારા શાન્તિ પામવાનું બની શકે નહિ. તેથી પ્રાચીન સત્ય તરીકે જૈન ધર્મમાં મૃતિપૂજાને સ્થાન જ નથી; સત્યધર્મને એથી નાશ છે અને મૂળતત્વની અવનતિ છે અને અજ્ઞાન ભકતને ભેગે સાંસારિક લાભ ઉઠાવવાના હેતુએ સ્વાથી પુરેહિતેની એ પેજના છે.” એમ કહે છે. આ વિવાદગ્રસ્ત વિષય આપણે જવા દઈશું અને મૂતિપૂજાની યોગ્યતા અને અગ્યતા વિષેની ચર્ચા છે દઈને ધામિક જીવન વિષે જોઈશું. કારણ કે આ પ્રકારના વિવાદગ્રસ્ત વિષયેથી, સૌનું સમાધાન થાય એ નિર્ણય આપી શકાય નહિ, કેમકે માણસે માણસે ધાર્મિક ભાવનાઓ ને આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોય છે. ખ્રિસ્તિ પાદરીઓ અને ખાસ કરીને પ્રેટે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy