SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) પિતાનાં કર્મને ક્ષય કર્યો છે અને એમ કરીને પુનર્જન્મના બીજને નાશ કર્યો છે તેમની જન્મમરણની ઘટમાળ તુટે છે અને જે એ ઘટમાળથી પર છે, જેમાંથી આ સે ઉત્પન્ન થયેલું છે, જે આ સોના મૂળમાં છે અને જે આ સૈને પિતામાં સંકેલી લે છે એવા બ્રહ્મના જ્ઞાનથી અને સંન્યસ્તથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મમાં જે લય પામી જાય છે તે જ દુઃખમાંથી, પાપમાંથી અને બંધનમાંથી મુક્ત થાય છે. સેથી પ્રાચીન ગ્રંવારા, છોગ્ય, તૈત્તિરીય, તોય, કૌશીતી ) ઉપનિષદમાં વર્ણવેલું આત્મતત્ત્વનું સ્વરૂપ એક નવી ભાવનાને કારણે પછીના કાળના (સાઠ આદિ) ઉપનિષદમાં બદલાય છે; એ ભાવના તે આત્મતત્ત્વના વ્યક્તિત્વની ભાવના. આત્મતત્ત્વ અને અનાત્મતત્ત્વ હવે સ્પષ્ટ રીતે ભિન્ન થયાં; આત્મતત્ત્વ હવે ભિન્ન ભિન્ન તને સમૂહ નથી, પણ અચ્છેદ્ય અને શાશ્વત શુદ્ધ તત્ત્વ છે. ઈશ્વર કે મનુષ્ય, પશુ કે તરૂ સર્વેમાં ચેતન કમ્ આત્મા છે, તેનાં પૂર્વભવનાં કર્મફળ તેને ભેગવવાનાં છે, અને એ કર્મફળને ભાર જ્યાં સુધી એના ઉપર છે ત્યાં સુધી એક ભવેથી બીજે ભવે એને રખડવું પડવાનું છે. શુદ્ધ આત્મસ્વરૂપને લાગેલાં કર્મફળને જ્યારે ક્ષય થાય અને એ આત્મસ્વરૂપને વિષે શુદ્ધ જ્ઞાન થાય તથા બ્રહ્મની સાથેનું એનું તાદામ્ય અનુભવાય, ત્યારે જ મક્ષ પમાય–પરમાત્મા સાથે જીવાત્માને અત્યન્ત અભેદ એ મેક્ષ. ઉપનિષદના ત્રષિમંડળમાં આ આત્મતત્ત્વની ભાવનાએ અતિ મહત્વનું સ્થાન લીધું; બ્રહ્મજ્ઞાનના સિદ્ધાન્ત ઉપર જેમણે પિતાની ભાવના રચી નહિ, તેવા વિચારકોએ પણ આત્મતત્ત્વની ભાવનાને તે મહત્વનું સ્થાન આપ્યું છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર વિવિધ સમ્પ્રદાયોએ પિતાના અધ્યાત્મજ્ઞાનનાં અને નીતિનાં મન્દિરે એ જ પાયા ઉપર રચ્યાં. જીવની એકબીજાથી અને પ્રકૃતિથી કેવળ ભિન્નતા સ્વીકારનાર અને છતાંયે પરમાત્માનું અને સ્તિત્વ નહિ સ્વીકારનાર (સાંથ, ચોર, ન્યાય, વૈશાપ, નૈન આદિ) દશને અનાત્મતત્વમાંથી આત્મતત્ત્વનું કેવળ ભિન્ન થવું
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy