SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) ખંડમાં આર્યો રહે છે. પ્રાચીન કાળે ચાર વર્ણવાળા ભારતવાસી આ કહેવાતા. આર્યખંડનું મુખ્ય નગર ચોપ્યા હતું અને એ. એની મધ્યે હતું. પણ આધુનિક જૈનો તે એમ માને છે કે આપણે સમગ્ર પૃથ્વી, એટલે કે એશિયા, યુરેપ, આફ્રિકા, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા એ સૌને સમાવેશ આર્યખંડમાં થઈ જાય છે. ભારતવર્ષ કર્મભૂમિ છે, એટલે કે જીવવાને માટે મનુષ્ય ત્યાં કર્મ (અસિ, મથી, કૃષિ) કરવાં જોઈએ, અને બધા પ્રકારનાં કર્મ ત્યાં બંધાઈ શકે. એમાં ૬ યુગચક (આરા) પ્રવર્તે છે; એ વિષે જગતના ઈતિહાસનું વર્ણન આગળ કરીશું, ત્યાં વધારે વિસ્તારથી કહીશું. હિમવાનું પર્વતની ઉત્તરે હૈમવતવર્ષ આવેલું છે અને તે ભારતવર્ષ કરતાં ચાર ગણું પહોળું છે. એની વચમાં શબ્દાપતિ પર્વત આવેલ છે. શહિતા અને દિતાંશા નામે બે નદીઓ અનુક્રમે પૂર્વમાં અને પશ્ચિમમાં ચાલી લવાદ સમુદ્રને મળે છે. હૈમવતવર્ષ ભેગભૂમિ છે, એટલે કે મનુષ્ય ત્યાં માત્ર બેગ ભેગવે છે. અને અદ્દભુત કલ્પમનાં ફળ ખાઈને રહે છે, કારણકે ત્યાં માત્ર સુષમદુષમા યુગ પ્રવર્તે છે. હૈમવતવર્ષને મહાહિમવાનું પર્વત તેની ઉતરે આવેલા હરિવર્ષથી જુદું પાડે છે. હરિવર્ષ હૈમવતથી ચાર ગણું પહેલું છે. એવી વચમાં વિટાતિ પર્વત આવેલો છે. રિજાતા ને રિસરીતા એ બે નદીઓ અનુક્રમે પૂર્વમાં અને પશ્ચિમમાં વહે છે. અહીંને જીવન. હૈમવતના કરતાં પણ સારે છે, કારણ કે અહીં સદા સુષમા યુગ પ્રવર્તે છે. - હરિવર્ષને નિષધ પર્વત તેની ઉતરે આવેલા વિદેહ વર્ષથી જુદું પાડે છે. વિદેહ વર્ષ સા વર્ષમાં મેટું છે. એની વચમાં એક ( મા ) પર્વત આવેલ છે, એ સર્વ અંશે જમ્બુદ્વીપનું મધ્ય બિન્દુ અથવા નાભિબિન્દુ છે. એ પર્વતને એક ઉપર બીજી એમ ચારે કેર ફરતી ત્રણ કંદરા છે ને તેની ઉપર ઘુમ્મટદાર શિખર (ચૂલિકા) છે. પહેલી કંદરા પત્થરની, બીજી રૂપાની અને રફ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy