SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પામે છે. એક જ કાળે ૪ મનુષ્યા ઉંચે, ૨ સમુદ્રમાં, ૪ જળમાં, ૨૦ ધરાતળ ( અધેાગ્રામમાં ) નીચે અને ૧૦૮ ધરાતળ ઉપર ઉત્કૃષ્ટા માક્ષ પામે છે. ઉપર જણાવ્યેા તે મત શ્વેતામ્બર સમ્પ્રદાયના છે; દિગમ્બર મત પ્રમાણે તે પુરૂષ જ મેક્ષ પામી શકે, ખીજી કોઇ જાતિથી મેાક્ષ પામી શકાય નહિ. મનુષ્ય ભવમાંથી જ મેાક્ષ પામી શકાય એ તા અને સમ્પ્રદાયનું સામાન્ય મન્તવ્ય છે; દેવ અને ત્રીજા જીવ અન્ય ભારતસમ્પ્રદાયને મતે શાશ્વત સુખ ભાગવે છે; જૈન મત એ સિદ્ધાન્તને નથી માનતા. એ તે માને છે કે જ્યારે સર્વોચ્ચ આધ્યાત્મિક વિકાસ પરિપાક પામે છે, ત્યારે જ સર્વે ભૌતિક ભાવામાંથી સમ્પૂર્ણ રીતે મુકત થઇ શકાય છે. એટલા માટે દેવાએ ફ્રી એક વાર મનુષ્યભવમાં અવતરવું પડે છે. વિશ્વજ્ઞાન ઇશ્વરના જગકર્તૃત્વ વિરૂદ્ધ પ્રમાણુ જૈનમત પ્રમાણે જગત્ નિત્ય અને અવિનાશી શાશ્વત છે. તે માત્ર પેાતાના નિયમ પ્રમાણે વર્તે છે અને પેાતાના અંશામાં પરિણામમાં હાવા છતાં પણ પાતે સમસ્તમાં તે અપરિણામી જ રહે છે. કાઈ ઈશ્વરે એને સરજ્યું નથી, એને પાળતા નથી અને સહારતા નથી. ખીજા ઘણા ખરા ધર્મ અવિનાશી, સશકિતમાન્ ઈશ્વરના અસ્તિત્વને માને છે, કે જે ઇશ્વર સર્વોને અસ્તિત્વમાં લાવે છે, નિયમમાં ચલાવે છે અને ઇચ્છામાં આવે ત્યારે એના સહાર કરે છે. પણ જૈનો એ વાતની ના પાડે છે. એવા કર્તા હર્તાને માનવા એ એમને નિમૂળ અને વતાવ્યાઘાત રૂપ લાગે છે અને વળી બુદ્ધિ અને નીતિની દૃષ્ટિએ પણ એ વાત માનવાની તેઓ ના પાડે છે. ભારતમાં અને ખીજા દેશેામાં ઇશ્વરના અસ્તિત્વ વિષે અનેક ભિન્ન ભિન્ન મત છે, અને સૈાની વિરૂદ્ધ જૈન ધર્મના મત છે. પ્રથમ તા ઈશ્વર અને જગત્ સાથેના તેના સંબંધ વિષેના મત હિંદુઓમાં ખુબ વિકાસ પામેલે છે, જેટલી રીતે વિચાર ને તર્ક
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy