SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) તેવી જ રીતે એ ત્રણ કરણથી આજન્મ કષાયનાં કમ પણ દૂર થાય છે, જેણે ક્ષયપશામિક સમિતિ પ્રાપ્ત કર્યું છે, તે ૭ મા એટલે અપ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી જઈ પહોંચે છે, ત્યાં એ પ્રમાદ બંધનથી મુકત થઈને વિરતિ સાધી શકે છે. એને જે આગળ જવું હોય તે બેમાંથી એક શ્રેણિએ એણે ચડવું જોઈએ, એટલા માટે કે ત્યારપછી કમ ફળે નહિ. એ બે શ્રેણિ તે આ છે – રામ અને જ્ઞા . ઉપશમ એટલે શાન્તિ પામવી તે. જે કર્મને ઉપશમ આચરે છે, તેનામાં એવી શકિત આવે કે કર્મ પિતાનાં ફળ આપી શકતાં નથી; એનાં સત્તા કમ દબાય છે, તેથી એનાં ફળ પ્રકટ ન થાય; પણ એ જડમૂળથી નાશ પામતાં નથી, તેથી તે ગુપ્તભાવે રહે છે ને પ્રસંગ આવ્યે પાછાં પ્રકટ થાય છે. જે અમુક ક્રમે વ્યવસ્થિત રીતે કર્મ દાબવાને પ્રયત્ન થાય તે ઉપશમ શ્રેણિથી મેહનીય કર્મને સંપૂર્ણ રીતે દાબી શકાય. આ શ્રેણિએ ચડનાર જીવ ૪ થી ૭ મા ગુણસ્થાનક સુધી ચડેલ હોય ને ત્યારપછી એકે એકે ૧૧ મા સુધી ચી શકે, અને ઉપશાત મેહ થાય. આ સ્થિતિમાં જીવ માત્ર છેડે જ કાળ ટકે છે, વખતે ૧ જ સમય સુધી. આ કાળ પૂરે થાય કે તરત એ ગુણસ્થાનેથી એનું પતન થાય છે. એ પતન બે કારણે થાય છે. ગમે તે એ વ્યકિતનું મરણ થવાથી એના એ ભવને અન્ત આવે છે, અથવા તે આ ઉપશાન્ત સ્થિતિને જોઈને સમય પૂરો થઈ જાય છે. જે પહેલે પ્રસંગ બને તે એ વ્યકિત આ ગુણસ્થાનમાં મરણ પામે અને એ જીવ અનુત્તરપુર રૂપે જન્મ પામે, પણ ૧૧ મે ગુણસ્થાનેથી થામાં પડે. જે બીજો પ્રસંગ બને એટલે કે જેઈતે સમય પૂરે થઈ જાય તે એ સાતમાં ગુણસ્થાને ઉતરી પડે અથવા અમુક સ્થિતિમાં એથીયે નીચે ઉતરી પડે. ઉપશમ શ્રેણિ એકંદરે એક અંતમુહૂર્ત ટકે છે, એક ભવમાં એ શ્રેષ્ઠ શ્રેણિએ બે વાર ચઢી શકાય. જો એવું થાય તે એ જન્મમાં નિર્વાણ પામી શકાય નહિ જે આ શ્રેણિએ એકજ વાર
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy