SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૮) સ્થાને મૂક્યા છે. આ અને બીજા પુરૂષના ઈતિહાસ જૈનોએ રામાયણમાંથી અને મહાભારતમાંથી લીધા છે ને પિતાને હેતુ સાધવા તેમાં થોડે ઘણે પિતાને મનમાનતે ફેરફાર કરી લીધે છે, અને વળી એ લેખકે એ સૈ પુરૂષને જૈન માને અને તેમને જેનરૂપે આળેખે એ તે ઉઘાડી. જે વાત છે. બ્રાહ્મણ સાહિત્યને આધાર લઈને નવું સાહિત્ય રચવાના (કહેવું જોઈએ કે દુરૂપએગ કરવાના પણ) ઉત્સાહમાં જૈનોએ અનેક પુસ્તક લખ્યાં છેઃ જિનસેને હરિવંશ પુરાણ (૮ મા સૈકામાં), આદિ પંપે (૧૦ મા સકામાં) કાની ભાષામાં વિમાનવિનય ( એને પંપમારત પણ કહે છે), સુમને (૧૬ મા સૈકામાં) પveવપુરા અને બીજા અનેક લેખકેએ અનેક ગ્રન્થ લખ્યા છે, અને તેમાં મહાભારતમાંથી કૃષ્ણ વગેરેનું વસ્તુ લીધેલું છે, રામાયણમાંથી વસ્તુ લઈને વેતામ્બર વિમાનિએ ( ૩ જા કે ૪ થા સિકામાં) પ્રાકૃત પરમરિય, દિગમ્બર વિરેને ( ૬૬૦ ના અરસામાં ) પદ્મપુરા, કાન કવિ તરૂણ વંદે (૧૧૦૦ ) મજૂરતપુરા ( અથવા રંપરામાયણ) અને બીજા અનેકેએ એ પ્રકારના અનેક ગ્રન્થ લખ્યા. જિનસેને આદિપુરાણમાં અને તેની પૂર્તિમાં ગુણભદ્ર (બંને ૯ મા સૈકામાં) ઉત્તરપુરાણમાં, હેમચન્દ્ર (૧૨ મા સૈકામાં) ત્રિષષ્ટિપાત્તાપુeષારિતમાં તેમજ બીજા અનેક લેખકેએ પોતાના ગ્રન્થમાં ૬૩ મહાપુરૂષોનાં જીવનને ઈતિહાસ વ્યવસ્થિત કમે ગોઠવવાના પ્રયત્ન કર્યા છે. મહાવીરના સમય પછી સમ્પ્રદાયે જે પ્રગતિ કરી એને ઈતિહાસ પણ લખાવાના પ્રયત્ન થયા છે. કાળના પ્રવાહમાં જૈનધમેં જે છાયા તાપ યા તેનું વર્ણન કરવાને માટે પણ અનેક ગ્રન્થ લખાયા છે. બેશક આ ગ્રન્થમાં ઐતિહાસિક વાસ્તવ તે ઘણાં ય છે, અને છતાં યે એમાં કથાઓ ઉપકથાઓ એટલી બધી ગુંથી નાખી છે કે એ ગ્રન્થના બધા વસ્તુને ઐતિહાસિક માનતાં બહુ સાવધાન રહેવું ઘટે. લેખકોને ભારેય નહિ હશે એવી રીતે એમાં સત્ય અને કલ્પના એકઠાં મળી ગયાં છે અને તારીખવાર
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy