SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૩) પહેલાં થઈ ગયા છે. કેટલાક તે એમને ઈ. સ. ની શરૂઆતમાં લઈ જાય છે. આ સમ્પ્રદાયના કેટલાક આચાર્યોના ગ્રન્થ ધર્મના ગૌણગ્રન્થ” મનાય છે. (પૃ. ૧૦૭ જેશે), તેવી જ રીતે આ આચાર્યના વન્થ પણ “ગૌણગ્રન્થ” મનાય છે. બીજા ધાર્મિક લેખકઃ સમન્તભદ્ર, પૂજ્યપાદ, અકલંક, વિદ્યાનન્દ, નેમિચંદ્ર વિષે આગળ (પૃ. ૫૫ ) ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એટલે અહીં તે એમનાં નામ ગણાવી ગયે જ બસ થશે. તે ઉપરાંત બીજા મહત્ત્વના લેખકે પ્રભાવ ( ૮૨૫ ના અરસામાં ), શ્રમિતિ ( ૧૦૦૦ ના અરસામાં ), છાશાધર (૧૩ મા સૈકાની શરૂઆતમાં ), સત્તાર્તિ (૧૪૬૪ ના અરસામાં) અને શ્રુતસાર (૧૫ મા સૈકાને અન્ત) થયા છે. એ બધા લેખકોએ પિતાના ગ્રન્થ સંસ્કૃત અથવા પ્રાકૃત શ્લોકમાં લખ્યા છે, અને એ ગ્રન્થ ઉપર એમણે પિતે જ અથવા તે એમના શિષ્યોએ અને બીજા ટીકાકારેએ ટીકા લખી છે. પ્રખ્યાત ધાર્મિક ગ્રન્થના અનુવાદ ભાષામાં થયા છે, અને એ રીતે વર્તમાન ભારતભાષાઓને ઉપયોગ જૈનસાહિત્યમાં થયે છે. ગુજરાતી અને બીજી ભાષાઓમાં અનેક ધર્મગ્રન્થના અનેક અનુવાદ થયા છે. કેટલાક ગ્રન્થકારેએ પૂર્વે પણ પોતાની માતૃભાષામાં ગ્રન્થ લખ્યા છે. શ્રીવઢવ જન્મભૂમિનું એમનું નામ તુપુત્રરાવાર્ય કાનડામાં થઈ ગયેલા ને તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર એમણે કાનમાં ટીકા ૯૬૦૦૦ ગાથા (શ્લેક) માં લખી છે. એ ગ્રન્થની રચનાને સમય નિર્ણિત નથી થયા, પણ કહેવાય છે કે બારમા સૈકામાં રચાયે હતું, દુર્ભાગ્યે એ ગ્રન્થ અત્યારે પ્રાપ્ત નથી. જેમ જેમ આપણે વર્તમાન સમય તરફ આવતા જઈએ છીએ તેમ તેમ જૈન ધર્મ વિષેના ગ્રન્થ અર્વાચીન ભાષામાં લખાયેલા વધારે જણાતા જાય છે. ધર્મજ્ઞાનને લેકપ્રિય બનાવી તેને જનસમૂહમાં પ્રચાર કરી શકાય અને શ્રાવકોને શુદ્ધ જ્ઞાન આપી શકાય એ હેતુએ જુદી જુદી લોકભાષામાં અનેક ગ્રન્થ લખાયા છે. ૧૫.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy