SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨------- કહેવાય છે અને એમ પણ કહેવાય છે કે એ આર્યશ્યામ કાલકાચાર્યનું (ઈ. પૂ. ૧ લું સંકુ, પૃ. ૪૪) જ બીજું નામ હતું. તેવી જ રીતે નન્દીસૂત્ર દેવદ્ધિએ (ઈ. સ. ૫ માં સૈકામાં), અનુ ગદ્વાર સૂત્ર છાત (ઈ. સ. ૧ લા સૈકામાં), ચતુર શરણ વીરમ અને દશવૈકાલિક સૂત્ર રાયમરે રચેલ ગણાય છે. એક યુવાન સાધુ કે જે તેમના સંસારીપણે પુત્ર હતા તેનું મૃત્યુ છ માસમાં થવાનું હતું, તેને એટલા ટૂંકા સમયમાં ધર્મનું જ્ઞાન કરાવી શકાય એટલા માટે દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં આવી હતી એવી કથા છે. ૪ થું છેદ સૂત્ર અને બીજાં પણ છેદસૂત્રે હરિભદ્ર ( ઈ. સ. ૩૦૦) રચ્યાં મનાય છે૧૪ અને દરેક (ઈ. સ. ૮ મા સિકામાં) મહાનિશીય રચ્યું મનાય છે. આમ આજે છે તે ગ્ર જુદે જુદે કાળે ને જુદી જુદી લેખણે લખાયેલા છે, એમાં એક કાળના વિચારોનું નિરૂપણ નથી, પણ અનેક જમાનાઓને શ્રમ છે. અંગ ગ્રન્થ સે ગ્રંથમાં સાથી પ્રાચીન છે; પણ તે સંપૂર્ણ નથી, કારણ કે ૧૪ પૂર્વ સમાવનારૂં જે ૧૨ મું અંગ, તે તે અતિ પૂર્વકાળથી જ લુપ્ત થઈ ગયું કહેવાય છે. ૧૨ મું અંગ હતું એમાં તે કશી શંકા નથી, કારણ કે એને વિષે જે જે ઉલ્લેખે છે તે બધામાં એકવાક્યતા છે, એટલું જ નહિ પણ એમાંથી અવતરણે લેવાયેલાં અને એને આધારે અનેક ગ્રન્થ લખાયેલા કહેવાય છે. ત્યારે એ દષ્ટિવાદને લેપ કેમ થયે તેની આપણને ખબર પડતી નથી. વખતે એમ પણ હોય કે એમાંના વિષય પાછળના જમાનાને રસિક ન લાગ્યા હેય, કારણ કે તે સમયના-પણ પાછળથી નષ્ટ થયેલા વિરોધી સંપ્રદાયના મતનું ખંડન એમાં હોય, વખતે એમ પણ હોય કે એમાંના વિષય બીજા ગ્રન્થમાં વધારે સારી ને સ્પષ્ટ રીતે ચર્ચા હય, આથી એનો અભ્યાસ અટકી ગયો હોય ને ધીરે ધીરે એ અંગ લુપ્ત થઈ ગયું હેય. ૧ બારમુ અંગ બાર વષ દુષ્કાળને અંગે મુનિઓ ન સંભારી શકવાથી નષ્ટ પામ્યું છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy