SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) વિધિનિષેધની આવી વિવિધતાઓ છતાં બધા ગ્રન્થ કંઈ રસિક નથી. કારણકે એમાં ઘણાં વાકયે એક ને એક વરૂપે ને શુષ્ક ભાવે વારંવાર આવ્યે જાય છે અને દરેક વિધિને અન્ત સુન્દર સુભાષિતે કે એક બે દષ્ટાન્ત આવ્યા હોય છે, તે જુદે સ્વરૂપે હોય છે. શાસ્ત્રગ્રન્થમાં જે કથાઓ કહી છે તે પણ નિરસ અને લાંબી હોય છે. ઘણાં ખરાં ધર્મગ્રન્થનું વિશિષ્ટ લક્ષણ તે એ છે જે તેમાં અનેકાનેક પુનરુક્તિઓ આવે છે અને શબ્દના જડ પદ્ધતિએ ચક્રાવા આવ્યે જાય છે. એ સ્થિતિ એટલી હદે પહોંચે છે કે તે ગ્રન્થના મૂળ લેખકને કે પ્રતે ઉતારનારને પણ એ શબ્દ ને વાક્ય આખાં ને આખાં વારંવાર ઉતારવાં જરૂરનાં લાગ્યાં નથી, એને બદલે તેમણે અમુક ચિન્હ મૂક્યાં છે અને બીજા કોઈ ગ્રન્થમાંના અમુક રૂઢ વાળે અને પુનરુક્તિઓ મૂકીને વાચકને બાકીનો ભાગ પોતાની મેળે સમજી લેવાની વ્યવસ્થા કરી દીધી છે. સ્થાને, પુરૂષ વગેરે સમ્બન્ધ વર્ણવતાં પણ એવી જ જના કરી છે કે ગ્રન્થમાં તેનું એક જગાએ વર્ણન હોય અને ત્યાર પછી જ્યારે જ્યારે એ સ્થાન કે પુરૂષ સમ્બન્ધ વર્ણન કરવાનું આવે ત્યારે પ્રથમ વર્ણનની જગ્યાને માત્ર નિર્દેશ કરી દે. આવાં વર્ણનેને વ* કહે છે, તેમાં અનેક શબ્દ એકઠા ગઠવીને મોટા મેટા વાકયે અને અનેક શિખામણે મૂકીને સ્પષ્ટતા કરવામાં આવે છે. આ શૈલીને કાવ્યમાં પુષ્કળ ઉપગ થાય છે. સાહિત્યની દષ્ટિએ જોતાં ધર્મશાસ્ત્રોના ગ્રન્થને ઉંચી કોટિમાં મૂકી શકાય એમ નથી. માત્ર શ્રોતાને જ નહિ, પણ વકતાને પણ અતિશય નીરસ લાગે છે અને આજના વાચકને તેમાં એ રસ તે ભાગ્યે જ આવે કે જેથી તેને અત્યાનન્દ થાય. શ્વેતામ્બરને પિતાને જ મતે એમાંના અમુક ધર્મગ્રન્થ કેવળ જુદે જુદે સમયે રચાયેલા છે. એમ માનવામાં આવે છે કે અંગ, ઉપા, અને બીજા કેટલાક ગ્રન્થ તે ગણધરોએ, ખાસ કરીને સુધર્માએ રચેલા; એમણે મહાવીરના શબ્દો સાંભળીને તે શબ્દો ગ્રન્થી કરી લીધેલા, અને કેટલાક પછીના આચાર્યોએ લિપિબદ્ધ કરી લીધેલા. ૪ થું ઉપાર્ટી પ્રજ્ઞાપના માર્યશ્યામે રચ્યું
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy