SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૨ ] પુણ્યથા પ્રાપ્ત થયા છે. આ મનુષ્યભવમાં સમજણ જ્ઞાનશાક્ત મળલ છે, જ્યારે બીજા અનેક ભવોમાં જીવ તેનાથી વંચિત હતો. આ મનુષ્યભવ ઘણાં જ અલ્પ સમયનો છે. ગૃહસ્થ ધર્મ ――― આવા અમૂલ્ય જીવનમાં ફરીથી રાત્રિભોજન - અનંતકાયકંદમૂળના ભક્ષણ ઇંડા-માંસ-મદિરા આદિ અભક્ષ્ય ખાન-પાન વગેરેમાં લલચાયા અને મહાપાપોમાં જોડાયા તો કરેલી ક્ષણની સ્વાદની મજાના દંડમાં મણ અને ટનની સજા ઘણાં ઘણાં કાળ સુધી ભોગવવાની બની જશે. સદ્ગુરુના બોધથી સાવધાન બની, પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું સુંદર જીવન જીવી શાશ્વત સુખના સ્વામી બનો. रात्रि लोभन प्रेम हर्शनमा आधारे રાત્રિના સમયે નિરકુશપણે ફરતા પ્રેત પિશાચાદિ અન્નને એઠું કરે છે, માટે સૂર્યાસ્ત થયા પછી ભોજન ન કરવું... યોગશાસ્ત્ર ૩/૪૮. ઘીર અંધકારથી રૂંધાયેલી શક્તિવાળા નેત્રોથી ભોજનમાં પડતા જીવોને આપણે જોઈ શકતા નથી... એવા રાત્રિના સમયે કોણ ભોજન કરે ?... યોગશાસ્ત્ર ૩/૪૯. રાત્રિના સમયે સૂક્ષ્મજંતુઓ જોઈ શકાતા નથી માટે ગમે તેવા જીવરહિત પદાર્થો પણ રાત્રે ન ખાવા ! (કારણ રાત્રિસમયે ફરતા જીવો ખોરાકમાં પડતા હોવાથી ખવાઈ જાય છે.) યોગશાસ્ત્ર ૩/૫૩. જૈન ધર્મના જાણકારોએ દિવસઅસ્ત થયા પછી કયારેય ભોજન ન કરવું. કારણ ઈતર દર્શનકારો પણ રાત્રિભોજનને અભોજન ગણે છે. યોગશાસ્ત્ર ૩/૫૪. આપણા શરીરમાં રહેલા હૃદયકમળ (નીચા મુખવાળું) અને નાભિકમળ (ઉંચા મુખવાળું) એ બંને કમળ સૂર્યના આથમી જવાથી સંકોચાઈ જાય છે. તેથી તથા રાત્રે ખાવામાં સૂક્ષ્મજીવોની હિંસા થઈ
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy