SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદર્શન વિધિ રાવ –------------ ૨૫J મન, વચન અને શરીરથી પ્રતિજ્ઞા કરું છું કે, વ્યવહારનાં કાંઈ પણ કાર્ય કે જે રાગદ્વેષથી ભરપુર છે તેને જ્યાં સુધી હું આ મંદિરમાં રોકાઈશ ત્યાં સુધી મનમાં બિલકુલ યાદ નહિ કરું તે સંબંધી બોલીશ પણ નહિ અને શરીર દ્વારા પણ તેમાં કોઈ રીતે ભાગ નહિ લઉં. આ પ્રમાણે મુખ્ય દરવાજા આગળ જ પ્રતિજ્ઞા કરી પછી આગળ વધવું. આવા ધાર્મિક સ્થાનો પવિત્ર શા માટે ગણાય છે? અને તેને પવિત્ર કોણ બનાવે છે? તેનો વિચાર કરનારને અવશ્ય સમજાશે કે, આવા પવિત્ર વિચારોથી જ તેનું વાતાવરણ બંધાયેલું હોય છે. તેથી જ તે પવિત્ર છે. અને તેને પવિત્ર બનાવનાર પણ તમે જ છો. મલિન વિચાર ત્યાં બિલકુલ થતો ન જ હોય અને જેટલા મનુષ્યો ત્યાં આવે તેટલાઓ પવિત્રમાં પવિત્ર વિચારો જ ત્યાં બેસી કરે, સ્તુતિ પણ પવિત્ર જ ત્યાં થાય; અને તે સર્વેની ત્યાંના વાતાવરણ ઉપર થયેલી અસર ત્યાંની ત્યાંજ રહે. મલિન વિચારોથી બગડવા ન પામે, તો તે સ્થળ પવિત્ર બને છે અને તેને બનાવનાર પણ મનુષ્યો જ છે. તીર્થો પવિત્ર મનાય છે, તેનું કારણ પણ ત્યાં રહેનાર અને થયેલા મહાપુરુષોના પવિત્ર વિચારો જ છે. આ પ્રમાણે કોઈ પણ પાપનો વ્યાપાર ન કરવા રૂપ પ્રતિજ્ઞા દરવાજા ઉપર કર્યા પછી જ આગળ પ્રવેશ કરવો. દૂરથી ભગવાનની મૂર્તિને જોતાં જ સાક્ષાત્ પ્રભુનું સ્મરણ કરી, મસ્તક નમાવી નમસ્કાર કરવો. પછી દેરાસર ફરતી ત્રણ પ્રદક્ષિણાઓ ફરવી. બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહીં તેવી રીતે ભગવાનની પ્રતિમાજીની જમણી બાજુ તરફ પુરુષોએ ઊભા રહી. સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભા રહી, સ્તુતિ કરવી, ઘણું જ વિશાળ દેરાસર હોય તો પ્રતિમાજીથી સાઠ હાથ દૂર ઊભા રહી સ્તુતિ કરવી અને જઘન્યથી નવ હાથ દૂર ઊભા રહેવું પણ નાનું દેરાસર હોય તો ઓછામાં ઓછું
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy