SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - -- વ્યાવહારિક શિક્ષા [ ૧૫૭ ] - - - - - - આશ્રય આપનાર આ સર્વના કોપને ઉત્તેજન મળે તેવું તેમના તરફ વર્તન કરવાથી પવિત્ર પ્રેમ, હિતકારી શિક્ષા, ધાર્મિક મર્મતાનું જ્ઞાન અને વિવિધ અનુભવોથી બેનસીબ રહેવાય છે. એટલું જ નહિ પણ તેઓની કકળતી આંતરડીની કદુવા નિરંતર આપણને સુખથી વિમુખ રાખે છે. ૩૫. ધન ઉપાર્જન કરવા નિમિત્તે કોઈ સાથે અતિશય કલેશ કરવો નહિ, ધર્મનું ઉલ્લંઘન કરવું નહિ, નીચ માણસની સેવા કરવી નહિ અને વિશ્વાસઘાત કરવો નહિ. ૩૬. લેવડ દેવડ કરવામાં બોલેલા વચનનો લોપ ન કરવો. જે માણસ પોતાના બોલેલા વચનમાં સ્થિર નિશ્ચય હોય છે તેની પ્રતિષ્ઠા લોકોમાં ઘણી સારી જામે છે. ૩૭. સંધ્યાકાળે ભોજન, નિંદ્રા, મૈથુન અને સ્વાધ્યાય આ ચાર કરવાં નહિ. ભોજન કરવાથી વ્યાધિ થાય છે. મૈથુન સેવવાથી ગર્ભ દુષ્ટ થાય છે. નિંદ્રા કરવાથી ભૂતથી પીડા થવાનો સંભવ છે અને સ્વાધ્યાય (ભણેલું યાદ કરવું તે) કરવાથી બુદ્ધિની હીનતાહાનિ થાય છે.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy