SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાવહારિક શિક્ષા (૧) વ્યાવહારિક શિક્ષા નિત્ય ન બની શકે તો પર્વના અને વિશ્રાંતિના દિવસે પુત્ર, પુત્રાદિ કુટુંબ વર્ગને પોતાની પાસે બેસાડી વ્યવહાર સંબંધી પણ ઉત્તમ શિક્ષા કુટુંબના આગેવાને આપવી જેમ કે : ૧. છોકરાઓ ! જે મનુષ્યની સોબતથી તમારામાં પાપની બુદ્ધિ પ્રગટ થાય તેવાઓની સોબત તમારે ન કરવી. ૨. ૩. ૪. ૫. ૬. [ ૧૫૩ ] ૭. ૮. મન, વચન અને કાયા વડે કોઈ પણ દિવસ ન્યાયનો માર્ગ મૂકી અન્યાયને માર્ગે ચાલવું નહિ. કોઈનો પણ અવર્ણવાદ-અપવાદ-તમારે ન બોલવો, તેમાં વિશેષ પ્રકારે માતા, પિતા, ગુરુ, સ્વામી અને રાજા પ્રમુખની તો જરા પણ નિંદા ન કરવી. મુર્ખ, દુષ્ટ, દુરાચારી, મલિન, ધર્મનિંદક, દુઃશીલ, લોભી અને ચોરની સોબતનો અવશ્ય ત્યાગ કરવો. કીર્તિ મેળવવા માટે અજાણ્યા માણસના સાક્ષી ન થવું. અજાણ્યા માણસને પોતાના ઘરમાં રહેવા સ્થાન ન આપવું. દયા કે પરોપકારની લાગણીથી સ્થાન આપવું હોય તો ઘર સિવાય અન્ય સ્થળે આશ્રય આપવો. અજાણ્યા કુળની સાથે વિવાહનો સંબંધ ન કરવો. અજાણ્યા માણસને જ્યાં સુધી તેની ખાતરી ન થાય ત્યાં સુધી નોકર ન રાખવો. ૯. પોતાથી અધિક શક્તિવાળા સાથે કોપ ન કરવો. ૧૦. પોતાથી મહાન બળવાન શત્રુ સાથે યુદ્ધ ન કરવું કેમ કે તેથી સમૂળ પોતાનો નાશ થાય છે.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy