SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકના પાંચ અતિચાર [ ૮૫ ] આત્મસ્વરૂપની જાગૃતિ આપે તેવાં ધાર્મિક પુસ્તકો વાંચવા કે તેવાં બીજાં ધર્મ સંબંધી ઉત્તમ પદોનું ચિંતન કરવું ગમે તેવી રીતે પણ તેટલા વખતમાં સર્વ જીવો ઉપર સમભાવ રહે, સંયમ માર્ગમાં ભાવની વૃદ્ધિ થાય, આત્મસ્વરૂપનું ભાન થાય કે સ્મરણ બન્યું રહે આરૌદ્રધ્યાનનો ત્યાગ થાય અને ધર્મધ્યાન કે શુક્લધ્યાનને પોષણ મળે તેવી રીતે સામાયિકનો વખત પૂરો કરવો. | દિવસમાં એક કે તેથી વધારે વખત સામાયિક કરવાથી આત્મ જાગૃતિમાં ઘણો સારો વધારો થાય છે. ગૃહસ્થોને સ્વરૂપ સ્થિરતા માટે આ કર્તવ્ય ઘણું જ ઉપયોગી અને જરૂર કરવાનું છે. સામાયિના પાંચ અતિચાર ૧. મનદુપ્રણિધાન-મનની એકાગ્રતા જે પ્રકારની જોઇએ તેના કરતાં વિપરિત એકાગ્રતા જેમ કે સામાયિક કરીને વ્યવહાર-ગૃહાદિસંબંધી ચિંતન કરે. કોઈ પણ સાવધ વ્યાપારમાં મનને એકાગ્ર કરી દે. આ પ્રમાણે અજાણતા અનિચ્છાએ તેમ થઈ જતું હોવાથી અતિચાર કહેવાય છે. જાણીને તેમ થાય તો વ્રત ભંગ થાય છે. ૨. વચન દુપ્રણિધાન-અનાઉપયોગે અકસ્માતુ કોઈને સામાયિકમાં પાપવાળા, કઠિન કર્કશ વચન કહેવા તે સામાયિકમાં દૂષણ છે. ૩. કાયદુપ્રણિધાન-કાયાની સ્થિરતાનો ભંગ કરી હાથ, પગ હલાવે, લાંબા પહોળા કરે અને તેમ કરતાં દષ્ટિથી જોયા સિવાય કોઈ જંતુનો ઉપઘાત થવાનો પણ પ્રસંગ આવે તે અતિચાર છે. ૪. અનવસ્થા-સામાયિકનું પ્રમાણ વખતનું માન ન રાખે, ઓછા વખતમાં સામાયિક પાળે, અનાદરપણે સામાયિક કરે. અવસરે સામાયિક ન કરે, બધા કામથી પરવારે નવરો હોય ત્યારે સામાયિક
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy