SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ]. જીવન સાફલ્ય mmmnunn 8 સંપાદકની નોંધ ? * અરેબીયન નાઈટ્સને રાક્ષસ જ ભૌતિક વિજ્ઞાન આજે કૂદકે અને ભૂસકે આગળ વધતું જાય છે. અરેબીયન નાઈટ્રની પેલી કથામાં આવે છે કે, માછીમારે માછલાં પકડવા સમુદ્રમાં જાળ નાખી અને એક બાટલો જાળમાં આવ્યા. બાટલાને બૂચ ઉઘાડતાં તેમાંથી ધૂમાડો બહાર નીકળ્યો અને એક રાક્ષસ પ્રગટ થયા. બહાર આવેલે રાક્ષસ માછીમારને કહે છે કે “મને કામ આપ, નહિ તે તને ખાઈશ.” માછીમાર ભયભીત બની ગયે. ભૌતિક વિજ્ઞાનના રાક્ષસથી આજની દુનિયા ત્રાસી ગઈ છે, ભયભીત બની ગઈ છે. બે વિશ્વયુદ્ધોએ જીવનના મૂલ્યો Values in Life માટે માનવીને અસ્થિર બનાવી દીધું છે. અશાંતિના અંધકારમાં સમજુ લોકે પ્રકાશની એકાદ કિરણ માટે ઝંખે છે, કયાંકથી પ્રકાશ પ્રાપ્ત થાય ! આજનું હિંસક વિજ્ઞાન જગતને ભયભીત કરી રહ્યું છે. જ્યાં હિંસા છે ત્યાં ભય અવશ્ય પ્રગટે છે, દુઃખ આવે છે. જે હિંસક છે તે નક્કી ભયભીત છે, તેને સંકટ જરૂર આવે છે. આ સનાતન નિયમ છે. સંકટ એટલે સમતા, સુખ કપાઈ જવું, હિંસાથી જે બીજાના સુખને કાપે છે તેની સમતા કપાય છે, સુખ જાય છે, દુઃખ આવે છે,
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy