SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ભયતાને રાજમાર્ગ [ ૧૧ wuuuuuuummomnium મારા સંતાન આ બધું ય જેને પિતે પિતાનું માન્યું હતું તે ગુમાવવાની કલ્પના પણ ગમતી નથી. ભયથી બચવા માટે સંસારમાં રાગદ્વેષથી જે કંઈ એકઠું કર્યું છે, તે બધું ય ભયનું કારણ થઈ પડે છે. અજ્ઞાનમાં રાગદ્વેષથી થતી બધી પ્રવૃત્તિઓ ભયના માર્ગ પર લઈ જાય છે. આ દેહ “હું નથી. આ સંપત્તિ, ઘર, પ્રતિષ્ઠા, પત્ની, સંતાન વાસ્તવિક મારા નથી.” આ સત્ય સમજાય, તેની પ્રતીતિ થાય તો નિર્ભયતા પ્રગટે. હું આત્મા છું, અવિનાશી છું, અજર છું, અમર છું, આત્માના અનંત ગુણે મારા છે. આ સત્ય અનુભવાતું જાય તે નિર્ભયતા દઢ બને. પૂ. શ્રી આનંદઘનજી મહારાજે વીર હાક વગાડી છે કે, અબ હમ અમર ભયે, ન મરે હું દેહ નથી, હું આત્મા છું, હું અમર છું, મારું મૃત્યુ નથી. સ્વ અને પરનું આ ભેદ વિજ્ઞાન ભયથી મુક્ત કરે છે. સમ્યગ્ગદર્શન નિર્ભયતા લાવે છે.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy