SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણકારી હિતશિક્ષા જીવનમાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે આરાધનાના મહત્તવની સુવ્યવસ્થિત ગોઠવણી માટે જરૂરી ભૂમિકાનું ઘડતર નીચે જણાવાતા અનુભવસત્ય નકકર જીવન-સિદ્ધાંતોના સક્રિય પાલનથી થાય છે, માટે દરેક વિવેકીએ મનનપૂર્વક વાંચી અમલ કરવો જરૂરી છે. ૧. પ્રતિદિન પિતાની જરૂરીયાતને ઓછી કરવી. ૨. જે સમયે જેવી પરિસ્થિતિમાં હોઈ એ કે આવી પડીએ તે સમયે પ્રચંડ મહાવાતના કેરાથી સ્વયં નમી જતા તૃણની જેમ સમજ વિવેક-પૂર્વક તે પરિસ્થિતિને અનુકૂળ બની વર્તવું, પણ પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની નાહક ગડમથલ ન કરવી. ૩. કોઈ પણ વસ્તુ પર મેહ-રાગદષ્ટિ ન કેળવવી. ૪. જે કંઈ આપણી પાસે હોય તેમાંથી બીજાને ભાગીદાર બનાવો, એટલે તેમાંથી થોડું-ઘણું પણ નિરાશસભાવે ત્યાગ કરવાની બુદ્ધિ કેળવવી. ૫. કેઈની પણ સેવા કરવા માટે સદા લાલાયિત તત્પર રહેવું, પણ તેમાં આત્મભાવ કે ગુણાનુરાગના લક્ષ્ય સિવાય સ્વાર્થ, કીર્તિ-લાલસા કે કઈ જાતની આશંસાનું લક્ષ્ય રાખવું નહિ. એ
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy