SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-જીવનની સારમયતા ૧૬૩ ૩ આવશ્યક-સૂત્રોના અર્થો સામાચારીની નિર્મલતા, આવશ્યક–ક્રિયાની સમયાદિ-વ્યવસ્થાપૂર્વક નિયત-વ્યવસ્થા અને આચાર–પ્રધાન સાધુજીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન-આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૪ દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવો જરૂરી છે, કે જેનાથી આત્મા સંયમ વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આમિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. ૧ આવશ્યક-ક્રિયાના સૂત્રે (અર્થ સાથે) શકય હોય તે સંહિતા, પદસંધિ. સંપદા અને ઉચ્ચારશુદ્ધિની એગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૨ શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથને અર્થ ધારી તેમાંથી ધ્યાન રાખવા લાયક નોંધ કરી. રાજ તે સંબંધી યોગ્ય–ઉપયોગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવો. - આખા દશવૈકાલિક સૂત્રને વેગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ અધ્યયને, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાએ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી, તેમજ દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયનની સઝ ગુરુગમથી ધારવી અને બને તે ગોખવી. ૩ શ્રી ઘનિયુક્તિ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ સ્વાધ્યાય, થંડિલ ભૂમિ, રોગચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી જયણા આદિની નોંધ કરવી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy