SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-જીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત-કલ્યાણની સાધના પ્રધાન હોય છે, તેની સાચવણ-ખીલવણને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત-પુણ્યરાશિના અતિપ્રકર્ષના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લકત્તર-સંયમની આરાધનાને અનુકૂળ સાધનની સફળતા યથાયોગ્ય શી રીતે મેળવી શકાય? તે અંગે શ્રી આચારાંગ-આદિ શાસ્ત્રમાં નાના પ્રકારનું વર્ણન છે, જેમાનું કંઈક આ ગ્રંથમાં વર્ણવવા અલ્પ પ્રયાસ કર્યા છે, પણ આ બધું માર્ગદર્શન મુમુક્ષુ-આત્માને સહજ રીતે મળી રહે તેવું કંઈક અહીં બતાવાય છે. ૧ પ્રથમ તે સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી, બાહા-જીવનમાંથી આંતરિક-જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પિતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ–હિતકર જ્ઞાની-ભગવંતના વચનને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચને પણ પોતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ યથાર્થ ન સમજાય, તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પિતાના ગુરુભંગવંત પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવવી. પિતાના આત્મિક-વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ૨ દીક્ષા લીધા પછી રાજની ઉપયેગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર દયાન રાખવું.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy