SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને માંસાહાર, ૩૧ ધર્મને શ્રમણે તથા આસ પુરુષો માંસ ખાનાર હોય તે સંભવીજ કેમ શકે ? ઉપર જણાવેલ શાસ્ત્રના પ્રમાણેથી સિદ્ધ થાય છે કે, જેનાગોમાં માંસાહારનો નિષેધ કરેલ છે. અને તે વાત જૈનધર્મના મૂળભૂત અહિંસાના સિદ્ધાંતને મળતી તથા સુસંગત છે. - હવે આપણે આ ચર્ચાના અનુસંધાનમાંજ આચારાંગ સૂત્રના ૬૧૯ મા સૂત્રની ચર્ચા કરીએ. તેમાં વિવાદ વાળો પાઠ નીચે પ્રમાણે છે. __ से भिक्खू वा (२) जाव समाणे सेनं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भजिज्झमाणं पेहाए तेल्लपूययं वा आएसाए उवक्खडिजमाणं पेहाए को खद्धं खद्धं उवसंकमित्तु ओभासेन्जा णन्नत्थ गिलाणणीसाए । (६१९) આ સૂત્રમાં મુખ્યત્વે બે શબ્દોના અર્થ કરવાની ખાસ જરૂર છે તે કરી પછી આપણે આ સૂત્રનો અર્થ કરી તેના આશયની ચર્ચા કરીએ. માર (+ મા૫) = યાચના કરવી, માગવું. (પાઈ–સદ્-મહeણ પા. ૨૫૦) સ્થ = ૧ આટલું વિશેષ. ૨ આ નહિ કે તે નહિ પણ એટલું (1) So much in particular. 2 Not this or that but this much. (અર્ધમાગધી કોષ ભા. ૨ જે પા. ૬૧૦.)
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy