SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈનદર્શન અને માંસાહાર, ફેંકી દેવા લાયક ભાગ હાડકાં તથા કાંટા હોય છે તેમ આ ફળના ગરની અંદર જે ખાવા લાયક ભાગ માંસ રૂપે ગર છે તે ખાઈને તથા ફેંકી દેવા લાયક ભાગ કાંટા રૂપે જે ઠળીયા તથા કઠણ ભાગ છે તે ફેકી દે. એમ શાસ્ત્રકારનું સૂચન છે. શાસ્ત્રકારને આમ કહેવાનું પ્રયોજન એટલું જ કે સાધુજીએ તે ફકત પુ૮િ (ગર) નીજ માગણી કરી હતી, પરંતુ દાતારે ઠળીયા તથા કઠણ ભાગ મિશ્રિત ગર તેના પાત્રમાં નાખી દીધો તો તેનું હવે શું કરવું તે શંકા સાધુને અવશ્ય થાય તેના ખુલાસા રૂપે ઉપર પ્રમાણે ગર ખાવાનું અને ઠળીયા તથા કઠણ ભાગ પરઠવાનું–ફેંકવાનું શાસ્ત્રકાર ફરમાવે છે. અહીંયાં શા શબ્દનો અર્થ બાહ્ય પરિભેગા કરીને એમ નહિ લેતાં તેનો પ્રચલિત અર્થ “ખાઈને એમ લેવામાં આવેલ છે. ત્રીજો ખુલાસો – જે પદાર્થને થોડો ભાગ ઉપયોગમાં આવી શકતો હોય અને મેટો ભાગ ત્યાજ્ય હોય અને તે બન્ને ભાગને સંબંધ અવિનાભાવી સંબંધ ન હોય, પરંતુ સંગી સબંધ અગર તે નાન્તરીયક સંબંધ હોય, તેવા પદાર્થ તરીકે ભસ્ય (માછલાં) નું ઉદાહરણ પ્રાચીન સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન પુરૂષોએ આપેલ છે. પતંજલિ કૃત “મહાભાષ્યમાં ભાષ્યકાર આ પ્રમાણે ઉદાહરણ આપે છે. कश्चित् मांसार्थी मत्स्यान् सशकलान् सकण्टकान आहरति नान्तरीयकत्वात् स यावदादेयं तावदादाय शकलकण्टकानि કસ્તૂતિ . . (૪–૧–૯૨) તેમજ એમના પછી ઓછામાં ઓછા ૯૦૦ વર્ષ બાદ થએલા વાચસ્પતિ મિશ્ર પણ બન્યાય સૂત્ર ઉપરની તેમની તાત્પર્ય મીમાંસા' નામની ટીકામાં આજ ઉદાહરણનો પ્રયોગ કરે છે.
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy